SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) તેને જેમ કઈ નથી, તેમ જ્ઞાની મન વાણી અને કાયાને પાતાથી ભિન્ન માનીને તેના ધર્મમાં સમભાવે રહે છે અને શરીરના ધર્મોમાં હષૅ શાક ધારણ કરતા નથી. જ્ઞાની આવી ઉત્તમદાના અનુભવ કરીને મન વાણી અને કાયાની ચંચળતાના ક્ષેાભને પેાતાનામાં માનતે નથી, તેથી તે પેાતાને નિશ્ચલતાના શિખરે લાવી મૂકે છે. આત્મા અને શરીરના ધર્મો જુદા હેાવાથી, કદી ગમે તેવી સ્થિરતાથી બંનેનું એકય થતું નથી. જ્ઞાનીએ પેાતાના આત્માને ધ્યાનના તાપવડે સુકા નાળીચેરની પેઠે બનાવવા પ્રયત્ન કરવા, કે જેથી મન-વાણી અને કાયાના ધર્મોની અસર પેાતાનાપર થાય નહિ અને અધ્યાત્મવડે આગળના માર્ગ પ્રકાશિત થાય. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અધ્યાત્મજ્ઞાનીઓને લયસમાધિના ઉત્તમ માર્ગ બતાવે છે. જોજ. यावत् प्रयत्नलेशो यावत् संकल्पकल्पना कापि । तावन्न लयप्राप्तिस्तावत्तत्वस्य कातु कथा ॥ ( યોગશાસ્ત્ર. ) જ્યાંસુધી પ્રયતના લેશ છે અને જ્યાંસુધી સંકલ્પની કોઈપણ કલ્પના છે, ત્યાંસુધી લયની પ્રાપ્તિ નથી તેા તત્ત્વની શી વાત કરવી? એકજ વસ્તુ પચિત્તને ચોંટાડતાં ચિત્તના લય થાય છે. આત્માના ગુણામાં રમણતા કરવાથી અને આત્માના શુદ્ધોપાગે સ્થિર થઈ જવાથી, લયની પ્રાપ્તિ થાય છે. આત્માને આત્મારૂપે જોઈ રહે! અને કોઈપણ સંકલ્પ મનમાં ન આવવા દે; આવી રીતે એક કલાકપર્યન્ત રહેતાં લયસમાધિની દ્દિશાનું આપેાઆપ ભાન પ્રગટશે, અને અન્તિમ સંતેાષની અનુભવ ઝાંખી આપેાઆપ જણાશે. મનના સંકલ્પવિકલ્પને લય થઇ જાય એવી ઉપરની કંચી છે. શરીર, મન, વાણી અને આ સઘળું જગત્ તે સર્વમાંથી ચિત્ત ઉડી જાય, અને એક આત્મામાં સ્થિરતા થાય તેા લયસમાધિના પ્રદેશમાં પ્રવેશ થશે. ચિત્તલયના સ્થૂલ અને સૂક્ષ્મ અનેક ઉપાયા છે, તેનું કથન કરતાં એક મેટા ગ્રન્થ થઈ જાય તેથી વિશેષ જિજ્ઞાસુએ ગુરૂની પાસે જ્ઞાન મેળવીને ચિત્તલચના ઉપાયામાં પ્રવૃત્ત થયું. મનમાં આખું જગત્ એકસરખું વસ્તુસ્વભાવે ભાસે છે ત્યારે, ઔદાસીન્ય પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ ગણાય છે. લયની પ્રાપ્તિ થતાં ઔદાસીન્યદશામાં પ્રવેશ થાય છે. દીલગીર થવું વા વિષયાપર દ્વેષ ધારણ કરવા એવા ઉદાસીભાવ ગ્રહણ કરવાના નથી; અત્ર તેા હર્ષ, શાક, ભય, લાભ, આદિ મેહવૃત્તિયાવિના, વસ્તુને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy