SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૬) ત્વથી મૂકાતો નથી. પિતાના આચારે કે જે શાસ્ત્રાધારે બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને સ્વાધિકારપ્રમાણે આદર્યો હોય, તેને કદી ત્યાગ કરે જોઈએ નહીં. પિતાના અધિકારપ્રમાણે મનુષ્ય, જે જે કિયા-રૂચિ અનુસારે કરે અને તે યોગ્ય હોય તો અન્ય મનુષ્યની નિન્દા અથવા ટીકાથી તેણે કેમ તેને ત્યાગ કરવો જોઈએ? અલબત કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. અન્યમનુની ચર્ચા વા નિન્દાથી પોતાના સત્ય આચાર અને વિચારોને જે મનુષ્ય છોડ્યા કરે છે અને અન્યની પ્રસન્નતા જાળવવા તથા લજા વગેરે કારણુથી પોતાના ઉત્તમ વિચારોને દેશવટો આપે છે, તે અનતકાલપર્યત દુનિયામાં પરિભ્રમણ કરે તોપણ, સત્યધર્મનો આદર કરવા સમર્થ થઈ શકે નહિ. પિતાના સત્ય વિચારે અને આચારની બાબતમાં કેઈથી લજજા પામવું ન જોઈએ. મનુષે ફક્ત પોતાનામાં એટલે વિચાર કરવો જોઈએ કે, તે વિચારે અને આચારે શ્રી સર્વાના સિદ્ધાન્ત અવિરૂદ્ધ હોવા જોઈએ–શ્રી સર્વજ્ઞની વાણી શ્રુતજ્ઞાન ગણાય છે. શ્રી સર્વાના આગમોનો અભ્યાસ કરનારાઓમાં પણ અતિભેદે ભેદ પડે છે અને તે અવલોકવામાં આવે છે. ક્ષપશભેદે મતિજ્ઞાનમાં ભેદ પડવાથી, જેનાગમોનો અભ્યાસ કરનારાઓમાં ધર્મક્રિયાઓસંબધી મતભેદ જોવામાં આવે છે. ધાર્મિક ક્લિાઓના ગભેદ, ભેદ દેખવામાં આવે છે તોપણ જ્ઞાનિમનુષ્ય ગમે તે યિાને મૂળ ઉદ્દેશ શોધી કાઢીને પિતાના અધિકારપ્રમાણે ધર્મને સેવે છે. જોકલજજા અને ભય વગેરેને હિસાબમાં ગણતો નથી. ધર્મની યિાઓ સર્વે કંઈ એક મનષ્યના માટે એક કાલમાં નથી. અંકના ભેદે છે તેમ યિાઓના પણ ભેદ છે. મનુષ્ય પોતે જે ક્રિયા કરતો હોય, તેણે તે કિયા ગુણેની વૃદ્ધિ માટે કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યની રૂચિભેદે ધર્મની ક્ષિાનો ભેદ પડે છે પણ તે સર્વ ધર્મક્રિયાઓનો મૂળ ઉદ્દેશ જે આત્માના સદ્ગુણો મેળવવાને હોય અને તે ક્રિયાઓથી આત્મધર્મની વૃદ્ધિ થતી હોય, તો સર્વના અધિકારભેદે ધર્મની ક્રિયાઓ જુદી જુદી હોય અને લોકો ભિન્ન ભિન્ન ધર્મચારેને સેવતા હોય છે તેથી જરા માત્ર પણ શંકા કરવાની જરૂર નથી. ભિન્ન ભિન્ન આચારે અને વિચારમાં નોની સાપેક્ષાએ અનેકાન્તપણે બંધ કરીને આત્માને શુદ્ધધર્મ પ્રગટ કરવો જોઈએ. પિતાને શુદ્ધધર્મ જે જે હેતુથી પ્રગટ થાય છે તે હેતુઓ વડે પ્રયત્ન કરો જોઈએ. પોતાના અધિકાર પ્રમાણે પોતે પ્રવૃત્તિ કરવી તેમાં અન્યો પિતાની દૃષ્ટિથી–અપેક્ષાવડે અધિકાર જાણ્યા વિના ટીકા કરે -નિન્દા કરે તો તેથી પિતાને આચાર કદી છોડવો નહિ; આ સર્વ અપેક્ષાએ અવબોધીને આત્માના ધર્મની શુદ્ધિ કરવા માટે અત્યંત પ્રેમથી પ્રવૃત્તિ કરવી જોઈએ. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy