SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (420) બળની સિદ્ધિ થાય છે. એક કલાક વા બે કલાકના માઢુત્રાટક સિદ્ધ થાય છે ત્યારે આંખાવડે જેને દેખવામાં આવે છે તે મનુષ્યનું પેાતાનાપ્રતિ આકર્ષણ થાય છે. બાહ્યત્રાટક કરતાં આત્યંતર આત્મસ્વરૂપના ત્રાટક અનન્તગુણા ઉત્તમ છે. બાળજીવા માથત્રાટકને તા સાધી શકે છે, પણ અન્તરત્રાટકને તે જ્ઞાનયોગીએ સાધી શકે છે. ખાચત્રાટકને સિદ્ધ કરવાની આવયકતા છે. બાહ્યત્રાટક કરીને રૂપાદિક મેહથી દૂર રહેવા પ્રયત્ન કરવા જોઇએ. બાહ્યત્રાટક કરતાં આત્માના સ્વરૂપ સામી દૃષ્ટિ યાજતાં અનંતગુણી પ્રેમની વિશુદ્ધિ થવી ોઇએ. મઘત્રાટકમાં પણ પ્રેમ હોય છે તા તેની સિદ્ધિ કરી શકાય છે. સમતા પેાતાની ચવડે અત્ર શુદ્ધાત્મ પતિપર અન્તરદૃષ્ટિથી ત્રાટક કરે છે. સમતાના આત્મપતિપર અત્યંત વિશુદ્ધ અનંતગુણા પ્રેમ હેાવાથી, તેની દિવ્યચક્ષુઓ પણ આત્માને દેખવામાં એકતારૂપે અની રહે છે. એકીટસે દિવ્ય ચક્ષુ ખરેખર આત્મસ્વામિના રૂપને દેખે છે. અનન્તગુણની શાભાવાળા અને અનન્તસુખના દેવાવાળા એવા ચૈતનપતિ છે; એવા આત્મપતિની છબી અર્થાત અસંખ્યાત પ્રદેશરૂપ વ્યક્તિને દેખી, તૃપ્તિ (સત્ત્તાષ) થતી નથી, અર્થાત્ દેખવામાત્રથી સન્તોષ થતા નથી, પણ આત્મસ્વામીને પરિપૂર્ણ શુદ્ધભાવથી તન્મયપણે મળવાથી અનન્તસુખ મહેાદધિ પ્રગટે છતે તૃપ્તિ થાય છે. સમતાની આન્તરિક ચક્ષુપણુ આત્મસ્વામિની સાથે લાગી છે અને તેવડે દેખતાં તૃપ્તિ થતી નથી, એમ કહીને સમતાએ પેાતાના અત્યંત શુપ્રેમને વસ્તુતઃ સંબન્ધ આત્માની સાથે છે એમ જણાવ્યું છે. આત્માવિના સમતાને અન્યત્ર પ્રેમ લાગતા નથી. મમતાની અનન્ત શક્તિ પણ સમતરૂપે પરિણમીને શુદ્ધપણે વર્તવા લાગી. સમતાને જડ પદાર્થોમાં લેશમાત્ર પણ પ્રિય ન ભાસે એમ ખરેખર મની શકે છે. આત્માની સમતા પ્રગટે છે ત્યારે અસંખ્યાત પ્રદેશરૂપ સ્વઘર મૂકીને તેને બાહ્યમાં દૃષ્ટિ દૈવી ગમતી નથી. સમતા પેાતાના આત્મસ્વામિની વ્યક્તિ ઉપર અનન્ત આસક્ત થઇ છે, તેથી આન્તરિક ચન્નુદ્વારા આત્માનેજ દેખ્યા કરે છે અને વ્યંગમાં પેાતાની આંખોને ટપક આપે છે એમ અવબાધાય છે. વારંવાર સમતાની દિવ્ય ચક્ષુ આત્મપ્રભુને જોયા કરે છે. સમતા તેને કોઈવાર ના કહીને તથા રોકીને અટકાવે છે, તે નગુરી આંખે રોઇને અશ્રુઓ ઢાળે છે; આમ સમતા ખેલીને એમ જણાવે છે કે, આત્મસ્વામિને દેખવામાં ચક્ષુઓને પણ એટલા ધેા પ્રેમ લાગ્યા છે કે તેને હડાવતાં તેઓ અશ્રુઓ કાઢીને રૂદન કરે છે. ચક્ષુઓ પણ ખરેખર For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy