SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૬) પ્રાતિહાર્ય અને જ્ઞાનાદિ ચાર અતિશય વડે સમવસરણમાં બેસી સર્વ ભવ્યને દેશના આપી ઉત્તમ પપકારી થયા. અન્ય યોગીઓ પણ આદિનાથના નામે શ્રી રૂષભદેવ ભગવાનનું આરાધન કરે છે. પ્રથમ તીર્થકર અને પ્રથમ નરેશ્વરની પદવીન ધારણ કરનારા તે છે. આ અવસર્પિણી કાળમાં પ્રથમ તેઓએ યતિત્રત ધાર્યું હતું. નાભિ નૃપતિના પુત્ર અને મરૂદેવી જનનીના નન્દન, મારા મનમાં બહુ પ્યારા લાગે છે. યુગલીયાને ધર્મ નિવારણ કરનાર શ્રી રૂષભદેવ ભગવાનું છે. શ્રી રૂષભદેવ ભગવંતે, ઘરબારનો ત્યાગ કરીને મહાવ્રતધારણુરૂપ દીક્ષા અંગીકાર કરી, સાધુના વેષમાં વનમાં ઘણા વર્ષે પર્યત આત્મધ્યાન ધર્યું અને પિસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન પામીને અને કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં ઈન્ટ્રોએ સમવસરણની રચના કરી. ભગવાન કેવી રીતે દેશના આપે છે તે જણાવે છે. થા. सिंहासणे निसण्णो पायेठविउण पायपीठमि । करधरिय जोगमुद्दा जिणनाहो देसणं कुणइ ॥१॥ સિંહાસનમાં બેસીને અને પાદપીઠપર પદનું સ્થાપન કરીને અને કરની પેગ મુદ્રા કરીને જિનેશ્વરભગવાન દેશના આપે છે. બારે પર્ષદા ભગવાનની દેશના સાંભળે છે. શ્રી રૂષભદેવ ભગવંતે સાધુ, સાધવી શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારે તીર્થની સ્થાપના કરી, તથા ચોરાશી ગધરોની સ્થાપના કરી. તેમને ચોરાશી હજાર મુનિની સંપદા થઈ. ત્રણ લાખ સાથ્વીની સંપદા થઈ. ત્રણ લાખ અને પાંચ હજાર (વ્રતધારી) શ્રાવકની સંપદા થઈ. પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાની સંપદા થઈ. તેઓ દશ હજાર મુનિવરોની સાથે અષ્ટાપદ પર્વતપર શરીરનો ત્યાગ કરી મુક્ત થયા.-ગમનાગમનના ભ્રમણથી રહીત થયા. શ્રી મદ્ આનન્દઘન કર્થ છે કે, હે ભગવન્! મને પણ સંસાર સમુદ્રની પાર ઉતારે; તાત્પયોથે કે આપના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરતાં સંસાર સમુદ્રને પાર પામી શકાય છે. આનન્દઘન કહે છે કે હે પ્રભો! આપની સ્તુતિથી સંસાર સમુદ્ર તરીશ. પ૬ ૨૦૨. (રાજાજી.) ए जिनके पाये लागरे, तुने कहिये केतो. ए जिनके ॥ आगोइ जाम फिरे मदमातो, मोहनिंदरीया शुं जागरे।।तुने० ॥१॥ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy