SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) મારામારી વગેરે કરીને જગતને અશાંત બનાવવા પ્રયત્ન કરતા નથી. ભારતદેશને ચૈતન્યવાદ ભાનુ, પિતાના વિચારરૂપ કિરણને આખી દુનિયા ઉપર પ્રકાશ કરવા સમર્થ બને છે. આજે એ ચેતન્યવાદને ભાનુ મંદ પ્રકાશ કરે છે, પણ શ્રદ્ધાગમ્ય આત્મવાદ થાય એવા ઉપાયો ફેલાવવામાં આવે તે, આર્યો પૂર્વની ખરી ઉન્નતિ પ્રાપ્ત કરી શકે. આર્યાવર્તની ખરી લક્ષ્મી અધ્યાત્મવિદ્યા છે. આર્યાવર્તને ઉદય ખરેખર આત્મવિદ્યામાં સમાયો છે. આત્મવિદ્યાધારક આયમાં સર્વ પ્રકારની કાર્ય કરવાની શક્તિ પ્રગટી શકશે. શ્રી મહાવીર પ્રભુએ આત્માને આત્મરૂપે જણાવીને આર્યાવર્ત ઉપર જે ઉપકાર કર્યો છે તેનું ભાન થઈ શકે તેમ નથી. આર્યદેશના મનુષ્યમાં જેમ જેમ અજ્ઞાનરૂપ અંધકાર છવાવા લાગ્યું તેમ તેમ તેઓ ખરા સુખના પ્રકાશથી દૂર આર્યોની અવ રહેવા લાગ્યા અને તેથી તેનામાં મતમતાંતરે નતિનું કારણુ ઘણું ઉત્પન્ન થયા અને મનુષ્યો, પિતાના આત્માનું સ્વરૂપ ભૂલીને માયાના પ્રદેશમાં સુખની બુદ્ધિ ધારણ કરીને-વ્યસનના પંજામાં ફસાઈ ગયા. અજ્ઞાન મેહથી માંહોમાંહે જાદવાસ્થળી રચીને પોતાના હાથે પોતાની અવનતિને ખાડે ખોદવા લાગ્યા, તેથી તેઓ ભવિષ્યની પ્રજામાં અસ્તનું ચક આપવા લાગ્યા ! અને તેથી પરંપરા તમ પ્રદેશમાં વધવા લાગી. આમાની મહત્તા ભૂલી જવાથી, –મોહનું જોર વધવાથી, મનુષ્યજીવનના ખરા ઉદેશથી મનુષ્યો દૂર જવા લાગ્યા, તેથી તેઓ ભવિષ્યની પ્રજાને ઉત્તમ વારસો આપવા સમર્થ થયા નહિ; આવાં કારણોથી આર્યોનું આત્મબળ ઘટવા લાગ્યું. ધર્મની ક્રિયાને સામાન્ય ભેદને મહું રૂપ આપીને આર્યો પરસ્પર દ્વેષ, ઈર્ષ્યા અને કલેશ કરીને શરીરમાં રહેલા આત્માઓને ધિક્કારવા લાગ્યા, અને તેથી ધમેની કિયાના મતભેદે અસહિષ્ણુતા વધવા લાગી. આવી સ્થિતિ થયા છતાં આત્મોન્નતિના મૂળ પ્રદેશમાં આવવા માટે જોઈએ તે પ્રમાણે પ્રયત્ન કરવામાં આવ્યો નહિ, અને જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યું તો તે પરિપૂર્ણ અને વિદ્યરહિત થયો નહિ, જેથી ભારતવાસીઓ આન્નતિના સ્થાનથી દર જવા લાગ્યા. ખરેખર ચિંતન્યવાદીએ પિતાના વિચાર અને સદાચારે પ્રમાણે સદા રહ્યા હોત અને પિતાની ફરજો જગપ્રતિ સારી રીતે વ્યવસ્થાપૂર્વક બજાવી હોત તો આત્મોન્નતિના માર્ગમાંથી દૂર થઈ શકત નહિ. શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનવડે સ્યાદ્વાદશૈલીએ આત્મતત્ત્વને ઉપદેશ આપે હતો, તેને કેલા આખી દુનિયામાં For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy