SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૫ ) મને વર્ગણારૂપ ખાટલામાં હું આળોટતી રહું છું; એમ પણ ભાવાર્થ જાણ. મતિ કહે છે કે, ઉચ્ચ પરિણામરૂપ ગગનનું ઓશીકું અને રેય પદાર્થરૂપ પૃથ્વીને છેડે અર્થાત્ અન્ત તે મારી તળાઈ છે, તેમજ સર્વ આકાશની પિછોડી મેં એાઢી છે, તે પણ મારી સેડ ભરાતી નથી અર્થાત હું ઉપર પ્રમાણે કહેલી મર્યાદામાં સમાઈ શકતી નથી. મતિ કહે છે કે, હું અઢી દ્વીપમાં સદાકાળ વસું છું. દેવલોકમાં ઊંચે પણ હું રહું છું. ધરતીના છેડા સુધી અર્થાત્ પૃથ્વીના અન્તપર્યન્ત હું વસું છું. સાત પૃથ્વીના નીચેના છેડા પર્યન્ત હું વસું છું. દેવતાઓ અને નારકીના જીવોને પણ મતિ છે, અર્થાત્ ચઉદ રાજલોકમાં મતિને ધારણું કરનાર સર્વ જી વસે છે. ઉચ્ચમાં ઉચચ અને શુકલ ધ્યાનાદિ ગુણધારક મતિ તો મનુષ્ય લેકમાં–મનુષ્યોને પ્રાપ્ત થાય છે. મતિને ધારણ કરનાર જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યને જાણે છે, સર્વ ક્ષેત્રને જાણે છે, સર્વકાલને જાણે છે અને પક્ષપણે સર્વ ભાવને જાણે છે. આ ગાથામાં મતિએ પિતાને વારે જણાવ્યું છે, એ હૃદયમાં ભાસ થાય છે; ચારિત્રસહિત મતિ તેમજ શ્રતરૂપ બુદ્ધિનું સ્થાન, મનુષ્ય લેકમાં છે. સમ્યકત્વ પરિણામને ધારણ કરનારી મતિ વા બુદ્ધિની ઉત્પત્તિ ખરેખર મનુષ્યલેકમાં-તીર્થકરો અને કેવલજ્ઞાનીઓના ઉપદેશથીવિશેષ હોય છે. દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રાદિના ઉચ્ચ પરિણામને ધારણ કરનારી મતિને સભાવ ખરેખર મનુષ્યલોકમાં હોવાથી, અઢી દ્વીપને મતિ પિતાનો ખાટલો કહે છે તે યુકત જ છે. કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરાવી આપનારી એવી મતિ પણ, મનુષ્યલોકમાં અર્થાત્ અઢી દ્વીપમાં હોવાથી દેવતાઓ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે. ઉચ પરિણામધારક મતિને ઓશીકાની ઉપમા આપવામાં આવે તે તેપણુ-ઉપમાની અપેક્ષાએ યોગ્ય જ છે. દેવતાઓ મતિને ધારણ કરે છે, પણ તેઓ તેથી વિરતિ પરિણામને ધારણ કરવાને શક્તિમામ્ થતા નથી. ઉપદેશરનાકરમાં શ્રીમાન મુનિ સુંદરસૂરિ કથે છે કેदेवा विसयपसत्ता नेरइया विविह दुहसंसत्ता, तिरिया विवेग विगला, मणुआण ધામ છે દેવતાઓ બે પ્રકારના છે; સમ્યકત્વ મતિધારક દેવતાઓ અને મિથ્યાત્વમતિધારક દેવતાઓ. તે બે પ્રકારના દેવતાઓ પણ પાંચ ઇન્દ્રિયના વીશ વિષયોમાં આસક્ત હોય છે. નારકીના છ બે પ્રકારના છે; સમ્યકત્વમતિધારક કૃષ્ણદિક નારકી છે અને અન્ય મિથ્યાત્વમતિધારક નારકી છે, એ બે પ્રકારના નારકી જી અનેક પ્રકારનાં બે ભેગવ્યા કરે છે. તિર્યંચ છ પણ બે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy