SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૦) સાપેક્ષ બુદ્ધિથી વ્યવહારનયની માન્યતામાં તેમને ભેગા રાખીને વ્યવહારનયની સિદ્ધિમાં પ્રયત્ન કરે. એકેક નયને એકાન્ત માનીને પરસ્પર ધર્મયુદ્ધ મચાવનારા એકાન્તનવાદીઓનું-સાત નની સાપેક્ષતાએ ધર્મના સંપૂર્ણ અંગને માનનારા એવા જૈનેની આગળ-કશું ચાલતું નથી; ઉલટા તેઓ સાત ની સાપેક્ષતા અવબોધીને જૈનદર્શનને સ્વી કાર કરે છે. જેના ત્રણ ફિરકાઓ થઈ ગયા છે પણ નાની સાપેક્ષતાએ દિગંબર અને સ્થાનકવાસીઓની સાથે જે આગમોના અનુસાર જે જે ભાગે મળતા આવે, તે તે ભાગોની વા બાબતની સાથે મળતા રહીને તે તે બાબતે પ્રચાર કરવાને દિગંબરે અને સ્થાનકવાસીઓને ભેગા રાખીને કાર્ય કરવું જોઈએ –દયા, સત્યાદિવ્રત, નવતત્ત્વ, દ્રવ્યગુ પર્યાય, ચોવીશતીર્થકર, પદ્રવ્ય, મોક્ષ, અનેકાતવાદ, પુનર્જન્મ, કર્મસિદ્ધિ, વસ્તુમાં અનન્ત ધર્મસિદ્ધિ, આશ્રવને ત્યાગ, સંવરને આદર, અધ્યાત્મ યોગ, મેક્ષમાન્યતા, આત્માની દેહવ્યાપકતા, આદિ અનેક જે જે બાબતે મળતી આવતી હોય તે તે બાબતોમાં શ્વેતાંબર જૈનોએ દિગંબરેને સાથે રાખીને ધર્મનો પ્રચાર કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે બાબતે પરસ્પર વિરૂદ્ધ હોય, તેમાં કલેશની ઉદીરણું ન થાય એવી રીતે દલીલથી તેની સિદ્ધિ કરવી જોઈએ. કેર્ટમાં વકીલે જેમ દલીલોથી તકરાર ચલાવે છે, પણ અન્તરમાં તે એક બીજા ઉપર પ્રેમ હોય છે, તેવી રીતે આપણે–એટલે શ્વેતાંબરેએ અન્ય દિગબરાદિ જૈનોની સાથે નાની સાપેક્ષતાએ ભેગા મળીને કાર્ય કરવું જોઈએ. જૈનધર્મને ફેલા કરવામાં આ પ્રમાણે શ્વેતાંબરે મળતી આવતી એવી બાબતોમાં અન્ય જેને અને અન્ય ધર્મીઓને તે તે અપેક્ષાએ ભેગા રાખીને પ્રયત કરે છે, તેઓ દુનિયામાં એકવાર જૈનધર્મને ફેલાવે કરવાને પૂર્ણતયા શક્તિમાન બની શકે. ભિન્ન ભિન્ન છવાળાઓની સાથે પણ જે જે બાબતેમાં મળતાપણું ન આવતું હોય તે તે બાબતની અપેક્ષાએ ભિન્ન ભિન્નત્વ હોવા છતાં, જે જે બાબતમાં મળતાપણું આવતું હોય તે તે બાબતોમાં ભેગા રહીને સાત નાની સાપેક્ષતાએ જૈનધર્મનો ફેલાવો કરવા પ્રયત્ન કરવો જોઈએ. ગચ્છની બાબતમાં માનો કે ૭૫ પોતેર બાબતોમાં સમાનતા આવે છે અને પચીશ બાબતમાં નથી આવતી, તે તેથી પોતેર બાબતોમાં ભેગા રહીને જૈનધર્મના બંધનું કાર્ય કરવું, પણ તેમ કરવામાં, પેલી પચીશ બાબતને આગલ કરીને–પરસ્પર લડીને, જૈનધર્મના પગ ઉપર કુહાડો માર ન જોઈએ. પંચાણુ બાબતે મળતી આવતી હોય અને પાંચ બાબતે એક બીજાને મળતી ન આવતી હોય તેથી પંચાણું બાબ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy