SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૮) બધા અંગે અમારામાં, તમારામાં અહો અશે, સદા અંગાંગી ભાવે છું, અપેક્ષાએ સકલમાં હું, સરિતાઓજ સાગરમાં, નદીમાં અંશથી ઉદધિ, અમારામાં તમારામાં, ખરે એ ભાવ શાંશી. અમારાથી તમે છો સહ, તમારાથી અહે હું છું, કરીને સંપ ચાલીશું, સદા આનન્દમાં રહીશું. પરસ્પર કલેશ દેને, હરીને સંપી ચાલીશું, પરસ્પર અંગની મૈત્રી, કરીશું ઉન્નતિ અર્થે. સકલને ભાગ આપીશું, કરીશું સર્વનું સારું, “બુઢ્યધિ ધર્મિબધુઓ, સદા આનન્દમાં રહીશું. ૧૧ [ભજન સંગ્રહ ભાગ પાંચમો, સુરત.] આ કાવ્યમાં બે ત્રણ કડીમાં સુધારો કર્યો છે. અનેકાન્તવાદને સમ્યમ્ અવબોધ થવાથી, નોની અપેક્ષાએ વદર્શન આદિ દર્શનોની માન્યતાને જૈનશાસન વા જૈનદર્શનરૂપ સમુદ્રનાં બિન્દુઓ માનીને તેને ગ્રહણ કરે છે. જૈનદર્શનરૂપ મહાસાગરમાં અન્ય દર્શનરૂપ સર્વ નદીઓને સમાવેશ થાય છે. અન્ય દર્શનીઓ એકેક નયની એકાન્ત દષ્ટિવડે ધર્મરૂપ મહાસાગરના અલ્પ પ્રદેશને નિરખી શકે છે, અર્થાત્ સંકુચિત દષ્ટિથી અમુક એકાત માન્યતામાં ધર્મ માનીને વાડે બાંધે છે, પણ જૈનદર્શનની સર્વનય સાપેક્ષદષ્ટિ હેવાથી ધર્મરૂપ મહાસાગરના સર્વ પ્રદેશોને અવલોકી શકે છે અને દુનિયાના સકલ ધર્મોરૂપ અંશને પિતાના સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરમાં ભેળવી દે છે; સર્વે નયોપેત સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરને મહિમા અલૌકિક છે! દુનિયામાં સાર્વજનિક માન્ય ધર્મ, કેઈપણુ ધર્મ થવાને માટે ગ્યા હોય તે તે આ ઉત્તમ જૈનધર્મ છે. રાજકીય ધર્મ બનવાને માટે સર્વ ધર્મને સમાવેશ જેમાં -નાની અપેક્ષાએથાય છે, એ જૈનધર્મજ અવાધાય છે. જ્યારથી જૈનધર્મને અમુક જાતિના બંધારણ જેવી સ્થિતિમાં જોડવા જે પ્રયત્ન (કેટલાક સૈકાથી) છે, ત્યારથી જૈનદર્શનરૂપ મહાસાગરનો મહિમા વૃદ્ધિ પામ્યો નહિ અને તેને પૂજવાને માટે સર્વ લેકે ભાગ્યશાળી બની શક્યા નહિ. ઉત્તમ સાનિઓના હાથમાં જૈનધર્મ શોભી શકે છે. કેટલાક ક્ષત્રીઓ કે જે વણિક જાતિરૂપે બનેલા છે. તેઓ કે જૈનદર્શનનું અસ્તિત્વ નભાવી શક્યા. કિન્તુ જૈનદર્શન મહાસાગરનો મહિમા પ્રસારી શક્યા નહિ. નોની અપેક્ષાએ જૈનદર્શનના સિદ્ધાન્તનું જેઓએ જ્ઞાન કર્યું For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy