SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૯) સમ્યકત્વ અંગીકાર કરીને, આત્માને જ દેવ, ગુરૂ અને ધર્મરૂપ માનીને તેની ઉપાસના, ધ્યાન વા આરાધના કરવી જોઈએ !” નિશ્ચય નયથી આ પ્રમાણે વદનારા મનુષ્યોને સૂચના કે, તેઓએ કાર્યની પરિપૂર્ણ સિદ્ધિ અને કાર્યની સ્થિરતા ન થાય તાવત્ વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાનો ત્યાગ કરે નહિ. વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મની ક્રિયા કરનારાઓને પણ સૂચના કે, તેઓએ શુદ્ધ પ્રેમ, ભક્તિ, અહિસાદિ વ્રત, આત્મવત સર્વત્ર દષ્ટિ, સર્વ જીવોના ગુણે લેવાની દષ્ટિ, આત્મગુણપ્રતિ રૂચિ, શાસ્ત્રોનું બહુ માન અને ભક્તિ તથા સંસાર વ્યવહારમાં ઉત્તમ નીતિના સદ્ગુણેને પ્રાણુની પેઠે ધારણ કરવાની પ્રવૃત્તિ, આદિ સગુણાનું અવલંબન કરવું જોઈએ, તેમજ નિશ્ચય સમ્યકત્વરૂપ સાધ્યની પ્રાપ્તિ માટે વ્યવહારધર્માચરણાઓનું અવલંબન કરવું જોઈએ. જ્ઞાનાદિ ણે પ્રાપ્ત કરવાને માટે દરરોજ પ્રયત્ન કરે જોઈએ. દરરોજ સગુણેની ધૂનમાં મચ્યા રહેવું જોઈએ. ધર્મના સંકચિત નિરપેક્ષ ભેદમાં બંધાઈને કદી કદાગ્રહ કરીને ધર્મ કલેશ કરે જોઈએ નહિ. કેઈને આત્મા દુખાય એ કઈ પણ પ્રયત્ન ન કરે જોઈએ. સાપેક્ષ બુદ્ધિથી ભાષણ કરવાની ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક વસ્તુઓને અનેકાન્ત બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. ઉત્તમ શુભાચારેવડે આત્માના ગુણોની પુષ્ટિ કરવા પ્રયત્ન કરવો જોઈએ; આ પ્રમાણે વ્યવહાર ધર્મની આચરણુઓને સેવતાં નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર સમ્યકત્વથી જૈન કેમની જગતમાં અસ્તિતા વર્તે છે. વ્યવહાર સમ્યકત્વને અપલાપ કરતાં જૈન તીર્થ વા જૈન સંઘનો નાશ થાય છે. નૈગમ, તથા વ્યવહારનયમાન્ય વ્યવહાર સમ્યકત્વવડે જૈન ધર્મની વ્યવસ્થા ચલાવી શકાય છે. શબ્દનય કથિત ઉપશમાદિ સમ્યકત્વને પ્રાપ્ત કરનારા વિરલા હોય છે અને તેનો વ્યવહારદષ્ટિથી વા પક્ષ પ્રમાણથી નિશ્ચય કરી શકાય નહિ. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય કથિત સમ્યકત્વ તે કારણરૂપ હેવાથી જૈનધર્મનો પ્રચાર કરવામાં બાળજીને પણ રૂચિકારક થઈ પડે છે; નૈગમનયથી પ્રથમ સર્વ જી ધર્મમાર્ગ પ્રવૃત્તિને આરંભ કરે છે. પહેલી ચોપડી ભણ્યાવિના સાતમીને અભ્યાસ થઈ શકતું નથી. પ્રથમ પગથીયા ઉપર પગ મૂક્યાવિના એકદમ પાંચમા વા છઠ્ઠા પગથીયાપર પગ મૂકી શકાતો નથી, તેમ મૈગમયમાં પણ સમજવું. નૈગમનયના સમ્યકત્વ અને ધર્માચરણની અપેક્ષાએ બાળજી જૈનશાસનમાં રહી શકે છે. વ્યવહારનયના સમ્યકત્વવડે અને ધમચારવડે બાળજી જૈનશાસનમાં રહી શકે છે. જો કે ઉપર ઉપરના નયની અપેક્ષાએ, સમ્યકત્વની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy