SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૩) કાબુ મૂકીને મનને શિષ્ય જેવું બનાવી દે છે, અને તેઓ વાણીના ઉપર એટલો બધે કબજો મૂકે છે કે, વાણીમાંથી એક પણ અયોગ્ય અને અનર્થકર શબ્દ નીકળતો નથી. તેઓની વાણીમાં અમૃત અને સત્યને વાસ થાય છે. તેઓની આંખ એના ઉપર પોતાનું તેજ અજમાવે છે, તેમજ તેઓની કાયા પાપમાર્ગમાં પ્રવૃત્ત થતી નથી. તેઓ નીતિના માર્ગમાં મોટરકારની પેઠે દોડે છે અને નૈતિક સિદ્ધાંત પાળવામાં મેરૂ પર્વતની પેઠે ધર્મ ધારણ કરે છે. તેઓ માતાની પેઠે ક્ષમાનું સેવન કરે છે. તેઓ સ્ત્રીની પેઠે શાન્તિને પ્રિય ગણું તેની સાથે રમે છે. અન્તવૃત્તિધારકોનું હૃદય, આરીસાની પેઠે શુદ્ધ બનવાથી તેમાં સત્યને પરિપૂર્ણ ભાસ થાય છે અને હદયમાં દયા ગંગાના નિર્મલ પ્રવાહો પ્રવહે છે. તેઓને આખું જગત પિતાના એક કુટુંબસમાન લાગે છે, તેથી તેઓ સ્વ અને પરેન્નતિને સારી રીતે–ખરા ભાવથી સાધી શકે છે. અન્તવૃત્તિના સાધકે જે ક્રિયા કરે છે તેમાં, ચિત્તને પરેવી દે છે. તેથી, તેઓ જે જે કાર્ય કરે છે તેમાં વિજય પામે છે. અન્તવૃત્તિના સાધકનું મન સ્થિર થાય છે અને તેથી તેઓ જ્ઞાનાવરણીય અને મેહનીય આદિ કર્મને ક્ષયોપશમ વગેરે કરી શકે છે. અન્તવૃત્તિના સાધકે ઉચ્ચ કોટીના સંયમ માર્ગમાં પ્રવેશ કરે છે અને અસંયમ માર્ગથી દૂર રહે છે. અન્તવૃત્તિના સાધકે પરમાત્મપદને પ્રગટ કરે છે અને માયાના વિકારોને હરાવી વિજયતાને વરે છે. વૈર્ય ગુણને ખીલવ્યાવિના અન્તવૃત્તિના સાધક બની શકાતું નથી. જગતમાં કર્મના યોગે અનેક પ્રકારની ઉપાધિ આવી પડવાને સંભવ છે, તેમ જ્ઞાનિને અને ગિને પણ ઉપાધિયાને ઉપાસગે લાગે છે, પણ તે સમયે જે હદયમાં ધૈર્ય ગુણ ન હોય તો અન્તવૃત્તિ સૂતરના તાંતણાની પેઠે તૂટી જાય છે; અથવા ભાટીના ઘરની પેઠે ટળી જાય છે. ધર્યવિના જ્ઞાન ગુણની પરિપકવદશા થતી નથી અને ધર્યવિનાનું જ્ઞાન વનમાં પુપને તાપ લાગતાં–જેમ તે કરમાઈ જાય છે, તેમ ઉપાધિ દશામાં વિલય પામે છે. બાહ્ય વૃત્તિવાળાઓના કેટલાક ઉપદ્રવોથી, ઘેર્યવિનાના કેટલાક અન્તવૃત્તિ સાધકે, સિંહ દેખીને કૂતરાં જેમ બે પગમાં પુંછડી ઘાલી ભાગી જાય છે તેમ, પાછા હઠી જાય છે અને દુનિયાના વ્યવહારમાં ખલેલ પહોંચાડે છે. સ્વયંભુરમણ સમુદ્ર તરવાને માટે જેવું સાહસ ઉઠાવવાનું છે, તેવું સાહસ ખરેખર અન્તવૃત્તિની સાધના માટે ઉઠાવવાનું છે. જૈવિનાને મનુષ્ય, સાંસારિક કાર્યોમાં બીકણપણું દર્શાવે છે તે તે મનુષ્ય, અન્તવૃત્તિની સાધનામાં–લેકલજા, નિન્દા અને ઉપસર્ગ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy