SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૧ ) છે, અર્થાત તેનું મન આનન્દમય બની જાય છે. ઉત્તમ પ્રેમની રમણુતા પરમાત્મામાં થવી જોઈએ. પરમાત્માની સાથે પ્રેમવૃત્તિની લય લાગવાથી આત્મરમતા ઉત્પન્ન થાય છે અને તે રમણતામાં આનન્દરસ હોવાથી ચારિત્રરૂપ તે કહેવાય છે. આવી ઉત્તમ પ્રેમરમણુતા પ્રભુના સંબન્ધ કરવી જોઈએ; અને તેવી પરમાત્માની સાથે પ્રેમરમણુતા મારા મનમાં શ્રદ્ધારૂપે આવી છે એમ લેખક કથે છે. ખરેખર અનન્તગુણનું ધામ એવા અરિહન્ત અને સિદ્ધની સાથે પ્રેમ રમણતાનો તાર બાંધ તે મુક્તદશાની ચાવી છે. ઉચ્ચ શુદ્ધ પ્રેમની ખુમારીમાં જગતની સ્પૃહાની મલીનતા બિલકૂલ રહેતી નથી. ઉપર્યુક્ત પ્રેમરમતાથી સિદ્ધ થયું કે, પ્રેમરમણુતારૂપ સાંકલે મનરૂપ માંકડું બંધાઈ જાય છે. પ્રેમરમણુતા જ્યાં હોય છે, ત્યાં મન હોય છે અને તેથી મનને જીતવું હોય તો ઉત્તમ પ્રેમરમતા પ્રગટાવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થવાથી આત્મામાં જ પ્રેમ લાગે છે અને તેથી અન્તવૃત્તિ સહેજે ઉદભવે છે. પ્રસંગોપાત્તતઃ બાહ્યવૃત્તિના સંગે બહિર્મુખવૃત્તિ થાય છે તો પણ તુર્ત અન્તવૃત્તિ કરી શકાય છે; તેનું કારણ એ છે કે, તેવી દશાથી બાહ્યમાં પ્રેમરમણતા રહેતી નથી. જ્યાં પ્રેમ થાય નહિ, ત્યાં ચિત્ત ચુંટે નહિ. બાહ્યમાં સુખ બુદ્ધિ ટળતાં બાધમાં વૈષયિક પ્રેમ રહેતો નથી, તેથી બહિત્તિના કુટુંબનું જેર પ્રવર્તતું નથી. બાહ્યવૃત્તિના કુટુંબનું જોર એટલું બધું વિશેષ છે કે, તેના પાશમાં અન્તવૃત્તિને ચેતનસ્વામી ફસાઈ જાય છે અને બહિમુખવૃત્તિરૂપ અશુભ સ્ત્રીને સુન્દર માની, અન્તવૃત્તિથી પરા મુખ થાય છે. ચેતન સ્વામિની આવી દશા જોઈને અન્તવૃત્તિ મનમાં અત્યંત વિચાર કરીને તેને સઘળે દોષ બહિત્તિના મોહ કુટુંબને આપે છે. મેહ કુટુંબે મારું સર્વ કાર્ય બગાડ્યું એમ કહેતી વખતે અનવૃત્તિની ચેષ્ટા જુદા પ્રકારની થઈ જાય છે. અન્તવૃત્તિ અને બહિત્તિ એ બેને આત્માની સ્ત્રીઓ કહેવામાં આવી છે. વાચકેએ બહિત્તિ અને અન્તવૃત્તિનું સ્વરૂપ વિચારીને બહિવૃત્તિને ત્યાગ કરે જોઈએ અને અન્તવૃત્તિને ગ્રહણ કરવી જોઈએ. પ્રેમની દિશા દેખાડવાનું પ્રયોજન પણ અન્તવૃત્તિ પ્રાપ્ત કરવાને માટે જ અવધવું. ગૃહસ્થાવાસમાં, કાર્યક્રમ નિયમાનુસારે અન્તવૃત્તિની આરાધના કરવી જોઈએ. વ્યાવહારિક ગૃહસ્થાવાસનાં કાર્યોને કરવામાં ગૃહસ્થાએ વિવેકને ધારણ કરે જોઈએ. ગૃહસ્થાએ પ્રત્યેક કાર્યો કરતી વખતે અન્તવૃત્તિ રહે એવી રીતે માનસિક વિચારશક્તિને વાપરવી જોઈએ. સર્વ પ્રકારની અપેક્ષાઓ સમજાય અને અવસરસ ગુણવડે સર્વ કાર્યો ભ. ૫૬ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy