SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૦) સદ્ગુણે પ્રતિ વલણ થાય અને સગુણેની પ્રાપ્તિ થાય તેને કાર એમ કહે છે. દેવ, ગુરૂ અને ધર્મપર થનાર પ્રેમને કરા પ્રેમ કથે છે. ગુણ જ્યાં દેખાય ત્યાં પ્રેમને ધારણ કરે. જેનામાં સદ્દગુણ હેય તેના સગુણમાં પ્રેમ ધારણ કરવો જોઈએ. હજારે દુર્ગણે તરફ લક્ષ ન રાખતાં, એક પણ ગુણુ જણાય તો તે ગુણપર પ્રેમ કરે જોઈએ. જે પ્રેમથી આત્માની ગુણવડે ઉચ્ચ દશા થાય ! તેવા પ્રેમને ધારણ કરવું જોઈએ. પ્રશસ્ય પ્રેમને સ્વર્ગીય પ્રેમ કહેવામાં આવે છે. પ્રારભમાં ચારિત્ર બળને પ્રેમ ખીલવે છે માટે, તેને કરાચ રમતારૂપ ચારિત્ર પણ કહે છે. સગુણેમાં પ્રેમ એ એક જાતની ચારિત્રરમાણુતા અનુભવાય છે. સદ્ગણિ મનુષ્યો પર પ્રેમ થયાવિના આત્માનું ચારિત્રબળ ખીલી શકતું નથી. પ્રશસ્ય પ્રેમવિના ધર્મના પગથીયા ઉપર આર. હણ થઈ શકતું નથી. બાળજીવો ધર્મ પગથીયાપર પ્રશસ્ય પ્રેમથી આરહે છે એ વાત ખરી છે. બાહ્યવૃત્તિને અતર્મુખવૃત્તિ તરીકે કર વામાં પ્રશસ્ય પ્રેમવિના જરા માત્ર ચાલવાનું નથી. અપ્રશસ્ય પ્રેમને જ પ્રશસ્ય પ્રેમતરીકે ફેરવી શકાય છે. પ્રેમની કિસ્મત પ્રેમવિના અન્ય કંઈ નથી. પ્રેમથી મન, વાણું અને કાયાને ભોગ આપવામાં જરામાત્ર ભય ઉપજતો નથી. પ્રેમથી આખી દુનિયાનું આકર્ષણ કરી શકાય છે. પ્રેમ એ સજીવન મૂર્તિ છે, એમ કહીએ તો ચાલી શકે તેમ છે. પ્રેમથી મનુએ અન્યોને સર્વસ્વ અર્પણ કર્યું છે. સ્વાર્થ આદિ દેથી જે પ્રેમ ધારણ કરવામાં આવે છે તે શુદ્ધ પ્રેમ નથી, પણ પ્રેમનો વિકાર છે. પ્રશસ્ય પ્રેમવિના સંસારની નીતિનું ચક ચાલી શકતું નથી. સાંસારિક નીતિમાં પણ પ્રેમવિના રહી શકાતું નથી. પતિ અને પતી વચ્ચે જે પ્રેમ હેતે નથી, તે તે બન્નેને કલેશની હોળીમાં ઝંપલાવવું પડે છે; માટે દુનિયાદારીમાં પણ નૈતિક પ્રેમની આવશ્યકતા સિદ્ધ કરે છે. પિતા અને પુત્રોને એક સંબથી યોજનાર પ્રેમ છે. પશુઓને પોતાનાં અચાંની સાથે સંબન્ધ કરાવનાર પ્રેમ છે. માતા અને પિતાના નીતિસબન્ધને ટકાવી રાખનાર પ્રેમ છે. કૃત્રિમ અપ્રશસ્ય પ્રેમ, વેશ્યા અને તેના ત્યારે વચ્ચે ક્ષણિક સંબધ ઇન્દ્રિયની તૃપ્તિ માટે બંધાય છે. વ્યભિચારી પુરૂષો અને સ્ત્રીઓમાં પણ કૃત્રિમ પ્રેમથી તે ક્ષણિક સંબન્ધ બંધાય છે; એવા કૃત્રિમ ક્ષણિક સ્વાર્થિક પ્રેમને પ્રેમ જ કહી શકાય નહિ. જૂઠા રૂપૈયા અને જાઠી નંગ જે કૃત્રિમ પ્રેમ, ખરેખર જલ ઉપર રહેલી સેવાળ જે છે; એવા કૃત્રિમ પ્રેમને તે સુએ દેશવટોજ આપવું જોઈએ. અપ્રશસ્ય પ્રેમ કાચના જે ક્ષણિક છે. અપ્રશસ્ય પ્રેમમાં વિષની લાલચ આદિ દુર્ગ ને સંબજો હેવાથી તેને પરિત્યાગ કરવો જોઈએ. અશુદ્ધ પ્રેમને ત્યાગ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy