SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) નાખનાર, કુમતિને પિતા મેહ અને તેનું સઘળું કુટુંબ છે. મનુષ્ય, મેહના ગે અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરી શક્તા નથી. બાહ્ય પદાર્થના ગે ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની વૃત્તિને બહિર્મુખવૃત્તિ કથે છે. મેહના ઉછાળાથી અન્તર્મુખવૃત્તિ રહેતી નથી. મેટા મેટા મુનિવરે, કે જેઓ સમાધિમાં અન્તર્મુખવૃત્તિ કરીને રહ્યા હોય છે, તેઓની ક્ષયોપશમ ભાવરૂપ અન્તર્મુખવૃત્તિને નાશ કરવામાં મેહના કુટુંબને વાર લાગતી નથી, અથજ્ઞાન, દર્શન અને ચારિત્રની ક્રિયા કરનારા એવા સાધુઓ તથા ગૃહસ્થની અન્તર્મુખવૃત્તિને તે ક્ષણમાં ફેરવી નાખે છે. સ્વયંભુરમણ સમુદ્રમાં ડુબકી મારીને તેના તળીયાનો ત્યાગ લાવો સહેલ છે, પણ બહિર્મુખવૃત્તિનો ત્યાગ કરીને અન્તર્મુખવૃત્તિ ધારણ કરવી મુશ્કેલ છે. અન્તર્મુખવૃત્તિ કિશ્ચિત્ થાય છે અને પુનઃ ટળી જાય છે, તેનું કારણ મેહના કુટુંબની અન્તરમાં ઉત્પન્ન થતી સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. માનસિક ક્ષેત્રમાં મેહનું કુટુંબ, પિતાની સત્તા પ્રબલ કરવા અન્તર્મુખવૃત્તિની સાથે યુદ્ધ કરે છે, તેથી મનુષ્યએ આન્તરિક–અંતઃકરણમાં ઉત્પન્ન થતા-કુવિચારેની સાથે યુદ્ધ કરવું જોઈએ. આતરિક યુદ્ધમાં અન્તર્મુખવૃત્તિનું પ્રાબલ્ય વધે છે તે, બાહ્યકાયિકાદિ–વ્યવહારમાં પણ નીતિની ઉત્તમતા અને પ્રામાણ્ય દેખવામાં આવે છે. આતરિક અન્તર્મુખવૃત્તિને ખીલવવાથી મૈત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કારૂણ્યભાવના તુર્ત પ્રગટી નીકળે છે. મનુષ્યએ અન્તમુખવૃત્તિ ખીલવવા માટે અત્તરમાં ઉત્પન્ન થતા પ્રત્યેક વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ; મનમાં જે જે વિચારે ઉત્પન્ન કરવા તે પિતાની ઈચ્છા મુજબ ગ્યજ કરવા. આત્માનું બળ વધારીને મન ઉપર એટલો બધે જય મેળવો જોઈએ કે, બહિર્મુખવૃત્તિના કવિચારો ઉત્પન્ન થઈ શકે જ નહિ. મનને સ્વચછન્દપણે ગમે તેવા વિ. ચારો કરવાની છૂટ રહેવાથી તે બહિર્મુખવૃત્તિના માહિક વિચારોનેજ વારંવાર સેવ્યા કરે છે, માટે મન ઉપર કબજો મેળવવા માટે આત્મશક્તિ ખીલવવાના સંયમનું અવલંબન કરવું; સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન, પણ અન્તર્મુખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા, ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના અને તીર્થયાત્રા વગેરેને મુખ્ય ઉદ્દેશ અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. અન્તર્મુખવૃત્તિ કરતાં આત્માની અતરસૃષ્ટિનું સમ્યગુરીત્યા અવલોકન કરવું જોઈએ; કારણે કે બાહ્ય પદાર્થોમાંથી ચિત્તને હઠાવવું એ કંઈ સામાન્ય કાર્ય નથી. બાહ્ય પદાર્થોની મનહરતા, સુન્દરતા અને આકર્ષણીયતા જેટલી છે તેના કરતાં અન્તરસૃષ્ટિની અનન્તગુણ વિશેષ મનહરતા અને સુન્દરતા ભ. ૧૩ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy