SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૨) વ્યવહાર અને નિશ્ચય ચારિત્રનો સમાવેશ થતો નથી. અધ્યાત્મદષ્ટિનું ફલ વિરતિ છે. ચારિત્ર અંગીકાર કર્યાવિના અધ્યાત્મદષ્ટિનું ફલ બેસતું નથી. અધ્યાત્મદષ્ટિ થયા બાદ ચારિત્ર મેહનીય કર્મની પ્રકૃતિને જીતવાનું કાર્ય બાકી રહે છે. અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ તે ચોથા ગુણસ્થાનકથી છે, કિંતુ અધ્યાત્મદષ્ટિથી ઉત્પન્ન થતું દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર તો અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે. શ્રાવકનાં બાર વ્રત વા સાધુના પંચમહાવ્રતને જે અંગીકાર કરે છે, તે અધ્યાત્મ જ્ઞાનની સફલતા કરે છે અને તેથી તે શુષ્ક અધ્યાત્મજ્ઞાની ગણાતો નથી. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને બાહ્ય અને આત્યંતર ચારિત્રની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે જઈએ. શ્રીમાન મહાવીરપ્રભુ ગૃહસ્થાવાસમાં અધ્યાત્મજ્ઞાની હતા, અથોત આમાં અને જડ વસ્તુના સ્વરૂપને જાણી આત્મામાં લયલીન થવું જોઈએ એમ અવબોધતા હતા, અને તેથી તે ગૃહસ્થાવાસમાં અવિરતિના ગે જલ કમલવત્ નિર્લેપ રહેવા પ્રયત્ન કરતા હતા, પણું અને અવિરતિને છેદ કરી સાધુ ચારિત્રને ગ્રહણ કર્યું અને ચારિત્ર મેહનીયને નાશ કરવા બાર વર્ષપર્યંત, તપશ્ચર્યા, ધ્યાન અને ક્ષોપશમભાવ આદિ આત્મસમાધિ અવસ્થાની ઉચ્ચ કેટી પર ચઢીને, છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા, આઠમ, નવમાં, દશમા, અને બારમાએ ગયા અને બારમા ગુણસ્થાનકમાં ગમન કરીને તેના અને ઘાતિકર્મનો ક્ષય કરીને, ત્રયોદશમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું અને ત્યાં કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ કરીને ભાવ અરિહંત તરીકે પ્રખ્યાત થયા, તેમજ સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ ધર્મ દેશના દેવા લાગ્યા. અધ્યાત્મદષ્ટિ, અધ્યાત્મજ્ઞાન, વા સમ્યકત્વજ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્યએ આગળ વધવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનને સમાવેશ થાય છે. પિસ્તાલીશ આગમ આદિ શ્રુતજ્ઞાન છે અને તેમાં અધ્યાત્મજ્ઞાનને અન્તભાવ થાય છે. ગજ્ઞાનને પણ આગમ અર્થાત્ શ્રતજ્ઞાનમાં સમાવેશ થાય છે. શ્રતજ્ઞાનના ચાર અનુગ પાડી શકાય છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણનુગ; તેમાં દ્રવ્યાનુયોગની ઉત્તમતા છે. દ્રવ્યાનુગમાં અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિને સમાવેશ થાય છે. પ્રવ્યાનુયોગના જ્ઞાનવિના સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન કહેવાતું નથી. દ્રવ્યાનુયેગને જે જાણે છે તેને આત્મતત્વનું જ્ઞાન થાય છે. દ્રવ્યાનુ ગથી આત્માનું સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવામાં આવે તો, ચોથા ગુણસ્થાનકમાં સમ્યમ્ અધ્યાત્મજ્ઞાન વા સમ્યમ્ અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy