SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૬) હતા અને કરે મનુષ્યને ઘાણ કાઢ હતે. કામને આકાર ગ્રહણ કરીને મોહે રાવણના મનમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની શક્તિની પ્રેરણુથી સીતાનું હરણ કરાવીને, તથા રામની સાથે મહાન યુદ્ધ કરાવીને તેમાં રાવણનો નાશ કરાવ્યું. પાંડવોની પાસે જુગાર રમાવનાર પણ મેહ હતો. ચેડા રાજા અને કેણુક રાજા વચ્ચે મહાભારત યુદ્ધ કરાવનાર પણ મેહ હતેઅમરેન્દ્ર સરખાને પણ તે લડાઈમાં લાવનાર મોહ હતો. સિકંદર બાદશાહને હિન્દુસ્થાન ઉપર ચડાઈ કરવામાં મેહની પ્રેરણે હતી. શિથિયન લેકેની સ્વારીઓથી હિન્દુસ્થાનની પાયમાલી કરાવનાર મહ હતો. મહમદગીજનીના હૃદયમાં પેસીને તેને હિન્દુસ્થાન ઉપર સ્વારી કરવાની પ્રેરણું કરનાર મોહ હતો. અલ્લાઉદ્દીન બાદશાહની કૂર વૃત્તિ કરાવનાર મેહ હતો. જેને જેને મેહ કહે છે તેને મુસહ્માને શેતાન કહે છે. દિલ્હીના બાદશાહનાં કુટુંબમાં ઈર્ષ્યા, લોભ, સ્વાર્થ, અને હિંસારૂપે પ્રવેશ કરીને દિલ્લીના બાદશાહનું રાજ્ય નષ્ટ કરાવનાર પણ હજ હતે. હિન્દુસ્થાનના રાજાઓમાં કલેશ, કુસંપ, વૈર, ક્રોધ, વ્યભિચાર, વિષયાત્પપણું, સ્વાર્થ, વિરોધ, ઠગાઈ અપ્રમાણિકપણું, આલસ્ય, દારૂ, ભાંગ અને અફીણ વગેરેના વ્યસનમાં પાડનાર અને લુંટફાટ, ચેરી, વિશ્વાસઘાત, અહંકાર, અજ્ઞાન અને નિન્દા વગેરેના દો પ્રગટાવીને તેઓની પાયમાલી કરાવનાર મેહજ હતું અને હાલ પણ અજ્ઞાનના ખાડામાં ઉતારનાર મોહજ છે. દેશ, નાત, જાત અને સમાજના મનુષ્યને સ્વાર્થ, વ્યભિચાર, અજ્ઞાન, ઈષ્યો, કોધ, અહંકાર, કપટ લેભ અને હાજીહામાં ફસાવીને, તેમની મોહે પાયમાલી કરી છે, તેમ છતાં હજી તેઓની આંખ ઉઘડતી નથી અને મેહના તાબે રહીને પોતાની ઉન્નતિ કરવા ધારે છે તે ખરેખર આશ્ચર્ય છે. જૈન સાધુઓ તથા શ્રાવકમાં પણ પરસ્પર ઈળ્યો કુસંપ અને નિન્દા આદિથી ભેદ કરાવીને કલેશનાં બીજ, મોહે વાવ્યાં છે અને ભવિષ્યમાં વાવશે. જ્ઞાતિમાં, સંઘમાં અને દેશમાં સંપના વિચારો ફેલાય છે કે તુર્ત મેહ, કુર્સપના વિચારો ફેલાવીને સંપનું નામ નિશાન પણ રહેવા દેતા નથી. પતિ અને પત્ની વચ્ચે કુસંપ કરાવીને ઘરનાં ઘર મોહે ઉખેડી ના ખ્યાં છે અને વર્તમાનમાં ઉખેડે છે. પિતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્રી વચ્ચે દુશમનાવટ કરાવનાર, કલેશ, નિન્દા, સ્વાર્થ, અહંકાર અને અવિનયરૂપે મેહજ જણાય છે. ભિન્નત્વ કરાવનાર મેહની લીલા અપરંપાર જણાય છે ! સહોદર ભ્રાતાઓમાં અને ભગીનીઓમાં અવિશ્વાસ, વિશ્વાસઘાત, સ્વાર્થ, કલેશ અને કુસંપ કરાવનાર મોહજ છે. અરે મેહ! For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy