SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) જ્ઞાનનું શ્રવણું કરી શકે અને તેના મુખપર આનન્દની છાયા છવાઈ જાય; આત્માની સાથે રમણુતા કરતાં અશુદ્ધચેતના તે શુદ્ધચેતનારૂપે બદલાઈ જાય છે. રાગ અને દ્વેષના સંબન્ધથી દૂર થએલી ચેતનાને શુદ્ધચેતના કહેવામાં આવે છે. રાગ અને દ્વેષની અશુદ્ધતાથી કંઈ એકદમ દૂર થઈ શકાતું નથી. ચેતનાને રાગ અને દ્વેષના સંબન્ધવિનાની કરવાનો પ્રતિદિન અભ્યાસ કરવો. રાગ અને દ્વેષવિનાની ચેતના તેજ સર્વોત્તમ ચેતના કહેવાય છે. ચેતનાની અર્થાત્ જ્ઞાનની સર્વોત્તમતા કરવામાટે, ચારિત્રહનીયને જીતવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. રાગ અને દ્વેષ સહચારિણાનથી દુનિયાનું તેમજ પોતાનું ઉત્તમ શ્રેય: સાધી શકાતું નથી, અર્થાત રાગ અને દ્વેષની વૃદ્ધિ કરનારા જ્ઞાનથી, કેઈનું શ્રેય સાધી શકાતું નથી. કહ્યું છે કે, यज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्तिशक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ જે જ્ઞાન પ્રગટે છતે રાગદ્વેષાદિ સમૂહ પ્રગટે, તે જ્ઞાનને જ્ઞાનજ ગણાય નહિ. તમની શી શક્તિ છે કે તે સૂર્યના કિરણ આગળ રહી શકે જે જે અંશે રાગ અને દ્વેષાદિ કષાયોને નાશ થાય છે, તે તે અંશે ચેતનાની શુદ્ધિ થાય છે અને તે તે અંશે આત્માની ઉચ્ચતા કહેવાય છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવાથી જ શુદ્ધચેતના પ્રગટે છે, એમ લેખકને સ્વાનુભવ છે. पद ९२. (૪ જાનડો) दरिसन प्रानजीवन मोहे दीजे, बिन दरिसन मोहि कल न परतु है। तलक तलक तन छीजे ॥ રિસન ને ? कहा कहुं कछु कहत न आवत, विन सेजा क्युं जीजे ॥ सोहुँ खाइ सखी काउ मनावो, आपही आप पतीजें ॥द० ॥२॥ देउर देराणी सासु जेठाणी, युही सब मिल खीजें ॥ आनन्दघनविन प्रान न रहे छिन, कोडी जतन जो कीजेद० ॥३॥ ભાવાર્થ–સમતા પિતાના આત્મસ્વામિને કયે છે કે, હે પ્રાણ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy