SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૭ ) स्वपर रूप वस्तुकी सत्ता, सीजे एक न दोइ ॥ सत्ता एक अखंड अबाधित, यह सिद्धांत पख होइ ॥ चेतन० ॥२॥ अन्वयव्यतिरेक हेतुको, समजी रूप भ्रम खोइ ॥ આરોપિત સત્ર ધર્મ બૌરહે, બાનદ્દન તતસોડ્. ।। શ્વેતન॰ ।। ૩ । ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી કથેછે કે, આત્માના જ્ઞાનમાં સર્વને ભાસે છે તેની અપેક્ષાએ આત્મા, લેાકાલેાક સર્વવ્યાપક ગણાય છે. આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ જ્યારે કેવલી સમુદ્ઘાત કરે છે, ત્યારે લેાકાકાશમાં અસંખ્ય પ્રદેશને વિસ્તારે છે; તેની અપેક્ષાએ આત્મા, લાકવ્યાપક ગણાય છે. આત્મા પોતાના દ્રશ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવડે સત્ છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણા આત્માની અપેક્ષાએ સત્ છે, પણ પરદ્રવ્યની અપેક્ષાએ આત્મદ્રવ્ય અને આત્માના ગુણા અસત્ છે. આત્માના ચુણા અને પર્યાયે તેજ આત્માની પરિતિ છે. પેાતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરવાની, આત્માની વસ્તુતઃ પરિણિત છે. હું આત્મન્ ! હારી શુદ્ધ પરિણતિમાં તારે રમવું જોઇએ. દયિક ભાવ આદિ પાંચ પ્રકારના ભાવ છે; તેનું વર્ણન જ્ઞાનદીપિકા ગ્રન્થમાં કર્યું છે; ત્યાંથી તથા કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ વગેરે ગ્રન્થામાંથી જિજ્ઞાસુએ વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ઉપશમભાવ, ક્ષયાપશમભાવ અને ક્ષાયિકભાવ એ ઉત્તરાત્તર શુદ્ધભાવ કહેવાય છે. આત્મા પોતાના ઉપશમાદિ ભાવથી રમે તા, શુભગતિ પ્રાપ્ત કરી શકે છે. દેવલાક અને મનુષ્યભવ એ એ શુભ ગતિ કહેવાય છે; તે એક શુભ ગતિ અને બીજી પંચમગતિને ક્ષાયિક ભાવવડે પ્રાપ્ત કરે છે. ।। ૧ । ચેતનની સત્તા ચેતનરૂપ છે અને જડની સત્તા જડરૂપ છે. મુક્તિ પામતાં એક ચેતનજ શુદ્ધ રહે છે. ચેતનની એક અબાધિત અખંડ સત્તા છે. ત્રણ કાલમાં ચેતન પેાતાની સત્તાને ત્યાગતા નથી; એમ સિદ્ધાન્ત પક્ષથી જોઈને કથવામાં આવે છે || ૨ || અન્વય અને વ્યતિરેક હેતુથી આત્માનું સ્વરૂપ સમજતાં પરવસ્તુઓમાં આત્મત્વની ભ્રમણા હતી તેટલી જાય છે. પુદ્ગલ દ્રવ્યના જે જે ધર્મ છે. તે આરાપિત ધર્મ છે. શરીરાદિમાં થતી આત્મભ્રાન્તિ ટળી અને ચેતનમાં ચેતનને ધર્મ છે એમ આત્મતત્ત્વના નિશ્ચય કર્યો છે, અર્થાત્ આત્માજ સ્વતત્ત્વ છે અને તેજ આનન્દના ઘન છે, તેજ આરાધ્ય છે, એમ શ્રીમદ્ આનન્દઘનજી કંથે છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy