SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૩) સંબંધ બંધાય છે તે જ ખરે પ્રેમ સંબન્ધ જાણ. અજ્ઞાનિનો પ્રેમ, પ્રભુપર ખાબચીયા જેટલો હોય છે, ત્યારે આત્મજ્ઞાનિને વીતરાગ પ્રભુપર સ્વયંભુ રમણ સમુદ્ર કરતાં પણ વિશેષ પ્રેમ હોય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી વીતરાગ પ્રભુપર શુદ્ધ પ્રેમ ઉભવે છે. વાચકેએ મનને પ્રભુની સાથે પ્રેમ બાંધીને–સ્થિર કરીને અપૂવે આનન્દ પ્રાપ્ત કરવા. પ૬ ૮. (રાજ વા.) वारी हुँ बोलडे मीठडे, तुजविन मुज नहि सरेरे मूरिजन.॥ સાત ર ાની છે તેવી છે ? ભાવાર્થ:સમતા પિતાના ચેતનને થે છે કે, હે ચેતન! હું તારા મિષ્ટ બેલપર વારી જાઉં છું. હે ચેતન ! તારામાં જ્ઞાન અનતગણું ભર્યું છે તેથી આપની વાણી અત્યંત પ્રિય લાગે છે. જ્ઞાનવડે-વાણુ દ્વારા કરે મનુષ્યોને બાવન ચંદનની પેઠે શાત કરે છે. હે આત્મસ્વામિન્ ! તારું શુદ્ધ સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત, મને તારી પૂર્ણ પ્રાપ્તિવિના ચેન પડતું નથી, અર્થાત્ હે સૂરજન! હા હે સ્વજન ! તારી પરિપૂર્ણ પ્રાપ્તિવિના મારું કાંઈ પણ ઈષ્ટકાર્ય સરવાનું નથી. તારી પ્રાપ્તિ થતાં મારા આનન્દને પાર રહેવાનું નથી. હે ચેતન સ્વામિન્ ! તારી સંગતિથી મને સહજ આનન્દનો ઉભરો આવે છે અને તારા વિના અન્ય રાગદ્વેષાદિક અનિષ્ટ લાગે છે. રાગ અને દ્વેષરહિત દશાને સમતા કહે છે. જડ વસ્તુઓમાં મહદશાથી ઈષ્ટાનિષ્ટપણે કલ્પીને મનુષ્યો રાગષમાં ફસાય છે. રાગ અને દ્વેષના યોગે મનુષ્ય, અનેક પ્રકારનાં આશ્રવનાં કાર્યોને કરે છે અને અનેક પ્રકારની દુઃખની રાશિને સંપ્રાપ્ત કરે છે. રાગદ્વેષથી ત્રણકાલમાં કેઈ આનન્દ પામનાર નથી. આ પ્રમાણે સમતા પિતાના ઉદ્ધારે જણ્વીને પિતાનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરે છે. સમતાની અદ્દભુત શક્તિ છે. કાચી બે ઘડીમાં તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. પ્રત્યેક મનુ ધારે તે સમતાભાવ રાખવાને સમર્થ થઈ શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતપોતાના અધિકાર પ્રમાણે કાર્યો કરવામાં મગજને સમતોલ રાખવું જોઈએ. દરેક દશ્ય પદાર્થો પ્રતિ સમાન દૃષ્ટિથી દેખવું જોઈએ. પદાર્થોમાં પ્રિય અને અપ્રિયવની કલ્પના ઉઠે છે તેને શમાવવી જોઈએ. જગશાળામાં જે જે શુભાશુભ પ્રસંગે આવી પડે, તે તે વખતે વિચારવું કે, સમતાને દઢ કરવા માટે શુભાશુભ પ્રસંગે ખરેખર કટીરૂપજ છે; રાગ અને દ્વેષના વિષમ પ્રસંગોની કસેટીમાં મારે સમતાભાવથી કસાવવું જોઈએ અને કંચનની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy