SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) પ્રેરણાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે બાબતમાં સત્ય હોય, તે સુજી આવે છે અને તેનો આદર કરવામાં આવે છે. ઢંકાયેલું સત્ય પણ સુમતિથી પ્રગટી નીકળે છે. સુમતિવડે સત્ય ધન અને સત્ય સ્થાનની શોધ થાય છે. સુમતિની પ્રેરણાથી દુનિયા નીતિના માર્ગ પર ચાલે છે. નીતિના સિદ્ધાન્તોને રચવાની પ્રેરણું કરનાર સુમતિ છે. ચઉદ પ્રકારનાં ગુણ સ્થાનક છે, સગુણવડે ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી અનેક ભવ્ય જીવોએ પૂર્વકાળમાં મોક્ષપદને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનકાળમાં સુમતિની પ્રેરણાથી અનેક મનુષ્યો ચારિત્રમાર્ગને અંગીકાર કરે છે. સુમતિની પ્રેરણાવડે મનુ પોતાનું સામર્થ્ય પ્રગટાવવાને શક્તિમાન થાય છે. સુમતિની પ્રેરણાથી મનુષ્ય ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં પ્રવેશે છે. સુમતિની દષ્ટિ અમૃત સમાન છે અને કુમતિની દષ્ટિ વિષસમાન છે. સુમતિથી આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે. કેઈપણુ મનુષ્યમાં સદાચાર, સદ્વિચાર અને પરમાર્થની વૃત્તિ હોય તો સમજવું કે, તે હવે મુકિતના માર્ગ સન્મુખ ગમન કરે છે; સુમતિને પ્રકાશ અત્યંત અવર્ણનીય છે. સૂર્ય જ્યાં પ્રકાશી શકતો નથી, ત્યાં સુમતિ પ્રકાશ કરે છે; એવી સુમતિની દશા છે. આવી સુમતિને સંગ જે મનુષ્ય કરે છે, તે સહજ સુખને પ્રાપ્ત કરે છે. સુમતિ આત્માની સત્ય સ્ત્રી છે, તેથી તે પોતાના સ્વામી ચેતનને પિતાનું ખરું સ્વરૂપ સમજાવીને તેમને પોતાના ઘરમાં લાવવા પ્રયત કરે, તે બરાબર વિવેકનું કાર્ય છે. સુમતિ પિતાના સ્વામીના ઉપરજ પરિપૂર્ણ પ્રેમ ધારણ કરે છે અને તેથી તે પતિવ્રતાના ધર્મને ધારણ કરનારી કહેવાય છે. તે પોતાના સ્વામિને પ્રાણજીવન એ વિશેષણથી રાંધીને પ્રાર્થના કરે છે. હવે વિચારે કે, તેને પોતાના સ્વામિ વિના જગતમાં શું આદેય છે? અલબત કંઈ નથી. પિતાના સ્વામિને સતી સ્ત્રી ગમે તેવા પ્રસંગમાં મિષ્ટ શબ્દોથી બોલાવે છે અને થે છે કે, હે સ્વામિન્ ! કુમતિની સંગતિથી એક તલમાત્ર જેટલો પણ લાભ નથી; અંશમાત્ર પણ તમારું શ્રેય નથી, ઉલટું કુમતિના ઘેર તમે જાઓ છે અને તેની પૂર્વોક્ત ચેષ્ટાઓમાં સપડાઓ છો, તથા અનેક પ્રકારની દુઃખની પરંપરામાં ફસાઓ છે તેથી તમારી શોભા એક તલમાત્ર પણું રહેતી નથી. કુમતિની સંગતિથી તમારા ઉપર જાદુઈ અસર થાય છે અને તમે પોતાના મૂળ-શુદ્ધ ધર્મને ભૂલે છે, એટલું જ નહિ પણ ઉલટું અસત્યમાં સત્યની બુદ્ધિને ધારણ કરે છે. અહ! તમારી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy