SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૧ ) કહેવત છે કે, જેને પેટ દેવું તેનાથી કંઈ છુપાવવું નહિ. હું વીર વિવેક ! હવે તમને જે રૂચે તે કરે અને લાલન અને ધીર એવા આત્મસ્વા મિને મેળવી આપેા. આપની ફરજ હવે આપે મજાવવી જોઇએ. સુમતિનું આત્મપ્રતિ ઉક્ત વચન યાગ્ય અને અસરકારક છે. સુમતિ શ્રી પતિવ્રતા છે તેથી તે આટલુંબધું હૃદય ભેદી ભાષણ કરીને વિવેકને પેાતાનું દુઃખદ વૃત્તાંત જણાવે છે. જગની સ્થૂલ ભૂમિકામાં પણ જે પતિવ્રતા સ્ત્રીઓ છેતે પેાતાના પતિવિના અન્યને કદાપિ ઇચ્છતી નથી, પોતાના પતિ કદાપિ કોઈ કારણવશાત્ તરાડે છે તેાપણ તે પતિવ્રતાના ધર્મથી ભ્રષ્ટ થતી નથી. પોતાના શુદ્ધ આચારા અને શુદ્ધ વિચારાથી પ્રાણાન્તે પણ ભ્રષ્ટ થતી નથી. સતીના ધર્મથી એક તસુમાત્ર પણ દૂર થતી નથી. સતીના ધર્મમાં તે પેાતાનું સર્વસ્વ હિત સમાયેલું માને છે, તેથી તે જગમાં સતી એવા મહાન બિરૂદને ધારણ કરીને જગમાં સર્વત્ર કીર્તિ પ્રસરાવે છે. સુમતિ સ્ત્રીતા તેના કરતાં પણ ઉત્તમ અને આત્માની સ્ત્રી હાવાથી પેાતાના સ્વામિપ્રતિ તેના અત્યંત વિશુદ્ધ પ્રેમ હોય તેમાં કંઈપણ આશ્ચર્ય નથી. તે વિવેક મિત્રની આગળ પોતાનું હૃદય પ્રકાશે છે, તેથી તેનું હૃદય નિર્મલ સ્વચ્છ સરાવરની પેઠે શેાભાપાત્ર બની રહ્યું છે; તે હવે પુનઃ અનુભવને જે વિજ્ઞપ્તિ કરે છે તે અત્ર જણાવવામાં આવે છે, अमरेकरे न जात आध, मनचंचलता मिटे समाध ला० ||४|| जान विवेक विचारकी, आनन्दघन कीने अधीन ला० ॥५॥ ભાવાર્થ:—સુમતિ કથે છે કે, હે વિવેક ! અમારા કરવાથી–મન ચંચલતારૂપ આધિ જતી નથી અને મનની સમાધિ મટી જાય છે, માટે હે સન્મિત્ર વિવેક ! ત્હારી આગળ ઉપર્યુક્ત સર્વ આત્મવૃત્તાંતનું નિવેદન કરવું પડે છે; મેં મારાથી બનતા સર્વે ઉપાયો કર્યાં કિન્તુ તેથી આત્મસ્વામિને કંઈ અસર થતી નથી અને તેથી મારા મનમાં વિશેષ ચિન્તા–ઉદ્વેગ, ચંચલતા પ્રગટે છે. હું તેમની ખરી સ્રી છું તેથી મારા થન ઉપર તેમના વિશ્વાસ ન બેસે અને મારૂં કથન હિસાબમાં ન ગણે, તેથી મારા મનમાં શું થતું હશે? તે હે વિવેક! તું સર્વ જાણે છે. સુમતિનું ઉપર્યુક્ત આત્માદ્વારમય સર્વ વૃત્તાંતનું સંભાષણ સાંભળીને વિવેક, શ્રીઆનન્દઘન આત્માની પાસે ગયા અને આત્માની સાથે સુમતિના મેલાપના સર્વ વિચાર કરીને આત્માનું મન સ્થિર કર્યું અને સુમતિને આનન્દઘનની આધીન કરી, તેથી બન્નેનું ઐકય થયું અને બન્નેના વિરહ ટળ્યા અને સહજ સુખને આવિભૉવ થયા. સ. ૪૧ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy