SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦ ) હાય, તા માતૃદૃષ્ટિથી તેમના દોષનું પ્રક્ષાલન કરી ઉચ્ચ કોટીપર લાવવા પ્રયત્ન કરવા. પંચમકાળમાં દેશકાલાદિ અનુસારે જે ચારિત્રના ખપ કરતા હાય અને પ્રમાદ-દશાના પરિહાર કરવા પ્રયત્ન કરતા હોય, એવા સાધુઓની સેવા, ભક્તિ અને બહુમાન કરવું. સાધુઓને ત્રિકાલ વન્દન કરવું. સાધુઓની આહાર, પાણી અને વસ્ત્ર-પાત્રથી વૈયાવચ્ચ કરવા અત્યન્ત ભાવ ધારણ કરવા, સાધુઓની નિન્દા કરવી નહિ. ગુણાનુરાગદૃષ્ટિ ધારણ કરીને સાધુઓના ગુણાને ગ્રહણ કરવા. જૈનશાસનના પ્રાણ સાધુવર્ગ છે. ગૃહસ્થાએ સાધુવર્ગની ઉન્નતિ કરવા તન, મન અને ધનના ભોગ આપવા. પેાતાની માતાના દોષો દેખ વામાં જેમ કોઈ ગૃહસ્થ દોષદષ્ટિને ધારણ કરતા નથી, તેમ સાધુઓના દોષ જોવાને માટે દોષષ્ટિને ધારણ ન કરવી, તેમ સાધુઓએ યથાશક્તિ સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા કરવી. પ્રતિદિન ઉચ્ચ ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા. શ્રીમદ્ આનન્દઘનની પેઠે ઉત્તમ સાધુઓની સંગતિ કરવા પ્રયત્ન કર્યાં કરવા. કાઈ પણ સાધુના ગુણે! જોવા અને ચુણે લેવા. શુદ્ધપ્રેમથી સાધુવર્ગની ભક્તિ કરવા અને તેમના ગુણેા લેવા તેમની સંગતિ કરવી, એમ શ્રીમદ્ પેાતાના આન્તરિક હૃદયથી જણાવે છે. पद ६९. (રાળ અદ્રિયો વેજાવહ. ) प्रीतकी रीत नहीं हो, प्रीतम प्रीत० । મેં તો બપનો સર્વ મારો, બારેદ્દી ન ફે ઢો. ત્રીતમના ? ।। ભાવાર્થ:—સમતા પેાતાના આત્મસ્વામીને ક૨ે છે કે, હું પ્રીતમ! આ પ્રીતની રીત નથી. મેં તે પેાતાના સર્વ શૃંગાર હે પ્યારા ! આપને માટે કર્યાં, પણ આપના ધ્યાનમાં કંઈ આ મામત આવતી નથી, પત્નીના મનમાં પતિનામાટે ઉચ્ચ અભિપ્રાય હોય અને પતિનામાટે સ્વકીય સર્વ શૃંગાર કરતી હોય, પણ પતિના મનમાં કંઈ ન હોય તે એક પાક્ષિક પ્રીતિ ગણાય છે. પછી પ્રીતિ જેમ પરવડે, મય નિશ્બા દોષ સન્ધિ. આ સુવર્ણમય વાક્યની ઝાંખી અત્ર માલુમ પડે છે. પાતાના આત્મપતિને ઉદ્દેશીને આજ હેતુથી કહે છે કે, આ શું પ્રીતિની રીતિ ગણાય કે? આપના ઉપર હું પ્રાણ પાથરૂં છું, તેમજ મારા હૃદયમાં આપવિના અન્ય કાઈ નથી; મારૂં જે કંઈ છે તે સર્વે આપનું છે. હું આપના ઉપર વિશુદ્ધ પ્રેમ ધારણ કરૂંછું અને આપના મનમાં તે તે મામતનું કંઈ નથી, તેથી આપની સ્ત્રીના મનમાં શું થતું હશે તે અન્ય કાણુ જાણી શકે? પ્રીતિ જો પરસ્પર હેાય છે તે, તે પ્રીતિના સમતા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy