SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) ધીના ઉપાયને સાધુ મહારાજા બતાવે છે. રાગ અને દ્વેષરૂપ માનસિક રોગનો નાશ કરવાને સાધુઓસમાન આ જગતમાં કઈ ઉત્તમ વૈદ્ય નથી. સાધુરૂપ કલ્પવૃક્ષની છાયામાં સદાકાલ રહેવાને માટે પ્રયત્ન કરે જોઈએ. સાધુની સાધુતાને ભક્ત પુરૂષે જાણું શકે છે. પ્રદેશ રાજાના સમાન કેઈ નાસ્તિક નહોતો, પણ કેશી કુમારને સમાગમ થતાં પ્રદેશી નૃપના હૃદયમાં રહેલું મિથ્યાત્વ અધકાર ટળી ગયું. શ્રી હેમચન્દ્રના બેધથી કુમારપાળ રાજાનું ઉચચ મન થયું અને કુમારપાલે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. શ્રી સુહસ્તિ આચાર્ય મુનિવરના ઉપદેશથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. સાધુના ઉપદેશથી દઢપ્રહારીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી દેવર્ધિગણિ ક્ષમાક્ષમણે જગતના જીવોની ઉચ્ચ દશામાટે પુસ્તકે લખાવ્યાં; આમ પૂર્વકાલમાં જૈન સાધુઓએ હિન્દુસ્થાન અને તેની આસપાસના દેશોમાં જૈનધર્મને ઉપદેશ દીધું હતું. તતસંબધીના લેખો મળી આવે છે. સાધુઓ બરાબર ચારિત્ર પાળતા નથી એમ જે ગૃહસ્થ કહે છે, તેઓ જે સાધુ થઈને બરાબર ચારિત્ર પાળે છે, અન્ય સાધુઓ તેઓનો દાખલો લેઈ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા પ્રયત્ન કરશે, કેમકે કહેવાના કરતાં કરી બતાવવું તે કરેડગણું ઉત્તમ છે. હિન્દુસ્થાનમાં દયાને અપૂર્વ સિદ્ધાંત પ્રસાર કરનારા સાધુઓ છે. ગૃહસ્થ સંસારના અનેક બંધનમાં બંધાયેલા હોવાથી સાધુઓની પેઠે સર્વત્ર વિહાર કરીને મનુને બોધ આપવા કદાપિ સમર્થ બની શકે નહિ. સાધુઓના ઉપદેશથી મનુષ્ય ખરૂં સુખ મેળવવા સમર્થ બને છે, માટે સાધુને કલ્પવૃક્ષની ઉપમા આપી છે તે બરાબર છે. કલ્પવૃક્ષ જેમ પુણ્યવંત ભૂમીમાં ઉત્પન્ન થાય છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષ પુણ્યવંત ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષને મહિમા અપરંપાર છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષને મહિમા પણ અપરંપાર છે. કલ્પવૃક્ષને સર્વે ઈચ્છે છે, તેમ સાધુરૂપ કલ્પવૃક્ષને પણ સર્વ ઈચ્છે છે. કલ્પવૃક્ષના કરતાં સાધુરૂપ ભાવ કલ્પવૃક્ષ અનન્તગણું ઉપકારી છે, માટે તેને હે ભવ્ય મનુષ્ય! સે. શ્રીમદ્ વિશેષતઃ સાધુસંગતિ માહાભ્યને વર્ણવે છે. चतुर विरंची विरञ्जन चाहे, चरणकमल मकरन्द री ॥ को हरि भरम विहार दिखावे, शुद्ध निरञ्जन चंद री॥ ! સાપુ ! રૂ ભાવાર્થ-કુશળ એ બ્રહ્મા પણ સાધુના ચરણકમલ મકરન્ટમાં For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy