SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૭ ) शीतल सफल संत सुरपादप, सेवै सदा सुछांह री• ॥ छित फलेटले अनवंछित, भवसन्ताप बृजाइरी ॥ साधु० ॥२॥ ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી, આ પદમાં સાધુસંગતિનું અપૂર્વ માહાત્મ્ય જણાવે છે. સાધુસંગતિવિના અનુભવકથા વિશ્રામભૂત અને પરમ મહાસધામ કયાંથી પામી શકાય? કોટી ઉપાયા કરવામાં આવે તેપણ સાધુસંગતિવિના મુક્તિ મળે નહિ. તેમને એટલાબધા નિશ્ચય થયા છે કે, સાધુસંગતિ સમાન અન્ય કોઈ હિતકારક નથી. સર્વેથી ઉત્તમ ઉપકાર કરનારા સાધુએ છે. ધર્મનું રક્ષણ કરનાર સાધુએ છે અને ધર્મના નેતાઓ પણ સાધુએ છે. સાધુઓવિના દુનિયામાં શાંતિ વર્તતી નથી. દુનિયામાં સર્વથી મહાત્ આત્મભાગ આપનારા સાધુએ છે. સ્વપરના કલ્યાણમાટે સાધુ થવાની અત્યન્ત આવશ્યકતા છે. ઉપકારરૂપ પ્રાણતત્ત્વવડે જગને પોષનારા સાધુ છે. લક્ષ્મી અને સ્ત્રીને ત્યાગ કરીને આત્મતત્ત્વની ખરેખરી ઉપાસના કરનારા સાધુએ છે, આત્મતત્ત્વસંબન્ધી મહાત્ શોધ કરનારા સાધુએ છે. સાધુઓથી દુનિયા શેાભી રહી છે. ગૃહસ્થ કરતાં સાધુએ અનન્તગણા ઉત્તમ છે. સાધુવડે જગત્માં ધર્મની ક્રિયા ચાલી રહી છે. તીર્થંકરો તે હાલ નથી, પણ તીર્થંકરોની ખરી સેવા બજાવનાર સાધુઓ છે; તેઓ ધર્મના ઝુંડો ગ્રહણ કરીને જગતનું ભલું કરે છે. તીર્થંકરદેવની પટ્ટપરંપરાને વધારનાર સાધુઓ છે. અનેક પ્રકારના પરિસહે સહુન કરીને ધર્મના ફેલાવા કરનારા સાધુએ છે. શ્રી મહાવીરપ્રભુના શાસનને ચલાવનાર સાધુવર્ગ છે. ધર્મતત્ત્વાદિ સંબન્ધી અનેક ગ્રન્થા રચનારા સાધુઓ છે. બૌદ્ધો અને વેદાન્તીઓની સાથે ધર્મતત્ત્વસંબન્ધી વાદવિવાદ કરીને જૈનધર્મનું રક્ષણ કરનારા સાધુએ છે. ભૂતકાલમાં પણ ધર્મના નેતા તરીકે સાધુએ હતા, વર્તમાનમાં પણ તે છે અને વિષ્યમાં પણ તેમનાથીજ જૈનશાસન ચાલશે. સાધુ, યતિ, શ્રમણ, ભિક્ષુક, ક્ષમાક્ષમણ આદિ સાધુપદનાં નામ અવળેાધવાં. આખી દુનિયા સાધુઓના ઉપકારતળે દટાયલી છે. દેવતાએ પણ સાધુપદના ઉપકારતળે દબાયલા છે. જો જગમાં વાયુ એક કલાક વાતા બંધ રહે તે દુનિયામાં કોલાહલ મચી જાય, તેમ જગત્માં જે સાધુઓ ન રહે તે દુનિયામાં હાહાકાર વર્તાઇ જાય. સૂર્યના કરતાં પણ અનન્તગણા ઉપકાર કરનારા સાધુઓ છે. જૈનશાસ્ત્રોના આધારે સાધુએજ આખી દુનિયાના ગુરૂ છે. ગૃહસ્થ કદી સાધુને ગુરૂ હાતા નથી. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy