SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) દુઃખા ટળવાનાં નથી. તેમજ અન્ય ભાવાર્થમાં સમજવાનું કે, ચતુર્ગતિરૂપ રાત્રિને શ્વાસેાચ્છ્વાસરૂપ વટેમાર્ગુએ સમજાવે છે કે, તું હવે નિય મમાં આવે. इह विधि छै जे घरघणी रे, उसमुं रहै उदास ॥ હવિધિ બારૂપૂરી હરી રે, જ્ઞાનધન ઋતુ પાસ / પી॰ || ૬ || ભાવાર્થ:- એવા પ્રકારના વિધિવાળા આત્માથી, અર્થાત્ મમતાના તાબામાં રહેલા આત્માથી સમતા ઉદાસ બને છે અને દુ:ખી રહે છે. જ્યાંસુધી મમતાના ઘરમાં આત્મા રહે છે અને મમતાનું કહ્યું કરે છે, ત્યાંસુધી આત્મા અને સમતાના મેળાપ થતા નથી. પરવસ્તુમાં મમત્ત્વભાવ રહે છે, ત્યાંસુધી રાગ દ્વેષના પક્ષમાં આત્મા રહેછે. રાગ અને દ્વેષના યેાગે આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ નિરખી શકતા નથી. મમતાના સંબન્ધથી આત્મા સત્ય તત્ત્વાને સત્યપણે અને અસત્ય તત્ત્વાને અસત્યપણે દેખી શકતા નથી. વસ્તુની ઉપાધિના ભેદથી મમતાના અનેક ભેદ પડે છે. શરીર, મન અને વાણીમાં જ્યાંસુધી મમતાનેા અધ્યાસ દૃઢપણે રહ્યો છે, ત્યાંસુધી આત્મા સમતાના ઘરમાં પ્રવેશ કરવાને અધિકારી બની શકતા નથી; તે અનેક પ્રકારનાં કૃત્યો કરવાને પ્રવૃત્તિ કર્યા કરે છે. આશાના ઉદ્ગારા કાઢે છે. હાસ્યનું કુતૂહલ કરે છે. ભવની ભવાઇઓ રચે છે. વિષય વિષ્ઠાના ભુંડ અને છે. જ્યાં ત્યાં દોષદૃષ્ટિધારક કાક્ બને છે. સ્પૃહાથી શ્વાનવત્ બને છે. તૃષ્ણારૂપ મદિરાનું પાન કરીને મર્કટમાફક બને છે અને તેથી આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાને ધારણ કરી સંસારમાં સ્થિર રહે છે ત્યાંસુધી, તેના લક્ષણેાથી સમતા ઉદાસમાં રહે છે. સમતાના મુક્તિરૂપ ઘરમાં જવાને માટે તે ગુણસ્થાનકરૂપ ભૂમિનું ઉલ્લંઘન કરી શકતે નથી, અર્થાત્ તે આત્મા જ્યારે પરવસ્તુ ઉપરથી મમતાભાવ ઉતારે છે અને પરવસ્તુને રાગદ્વેષ હણીને સમભાવે નિરખે છે, ત્યારે તે સત્તામાં રહેલા આનંદને પ્રગટાવી શકે છે. આનંદઘનરૂપ અનેલા આત્મા અનેક પ્રકારથી સમતાને આવી મળે છે અને સમતાની સર્વ આશા પૂર્ણ કરે છે. સાદિ અનંતમા ભાંગે સમતાની સાથે શિવરૂપ ઘરમાં સમયે સમયે અનંત સુખ ભાગવતે રહે છે; એમ શ્રી આનંદઘનજી મહારાજ ક૨ે છે. પત્ર ૬૬. ( રાTM આરાવરી. ) साधुभाइ अपना रूप जब देखा. साधु० ॥ करता कौन कौन फुनी करनी, कौन मागेगो लेखा ॥ साधु ० ॥ १ ॥ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy