SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૫ ) આત્મ સ્વામિની સાથે તન્મય દશાએ શુદ્ધ રમતારૂપ રાસ રમવાને માટે, સ્વામિની પાર્થના કરે અને તેમાં મદનવૃત્તિ અને ભય વૃત્તિને ઘરની દાસીસમાન ગણીને તેને હિસાબ ગણે નહી તે યોગ્ય છે, અથૉત હૃદયદ્વારથી આત્મસ્વામિને વિજ્ઞપ્તિ કરે છે તે ખરેખર એગ્ય કરે છે. હૃદયમાં જેવું હોય છે તેવું શુદ્ધ પ્રસંગમાં બહાર નીકળ્યાવિના રહેતું નથી. તે પિતાના અન્તરની શુદ્ધ દશાને પ્રગટ કરે છે અને સ્વાર્થદોષ પરિહારતાને દર્શાવે છે. આત્મસ્વામિની સેવામાં તે એકરિપોગથી હાજર થઈને ઉપર્યુકત વચને વદે છે. પોતાને શુદ્ધ પ્રેમ તેની વાણુ દ્વારા–બોલતાંજ ઝળકી ઉઠે છે. શુદ્ધચેતનાની આવી શુદ્ધ પ્રેમ લક્ષણભક્તિ અને એકતા, તેમજ લીનતા ભક્તિથી, પતિનું તે આકર્ષણ કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. જગતમાં સર્વને આકર્ષણ કરનારી પ્રેમશક્તિ છે. પ્રેમમાં તલ્લીન બનેલ મનુષ્ય હું અને તું વિસરી જાય છે. શુદ્ધચેતના પ્રેમની પ્યાસી બની છે અને તેથી તેની આવી દશાથી તે પોતાના સ્વામિનું આકર્ષણ કરી શકે એ બનવા ગ્ય છે. શુદ્ધચેતનાનું જીવન શુદ્ધભાવ પ્રાણુ છે.શુદ્ધચેતના પિતાના અસંખ્યાત પ્રદેશી આત્મસ્વામિને મળવાને માટે અધિકારી બની છે. તે તેના બેલવાપરથી સિદ્ધ થાય છે અને તે ઉપરના ગુણસ્થાનકની ભૂમિકામાં જઈને બોલે છે એમ અનુમાન થાય છે. મદનવૃત્તિ અને ભયવૃત્તિ પણ દાસી સમાન થઈ શકે એવી તેણે પિતાની આત્મશક્તિ પ્રાપ્ત કરી છે. હવે તે આગળ વધીને પિતાના ચેતન સ્વામી સંબધી શું કહે છે અને કેવી પ્રવૃત્તિ કરે છે તે દર્શાવવામાં આવે છે. अनुभव जाहके करो विचार, कद देखे द्वैवाकी तनमें सार ॥ થરે છે ? . जाय अनुभव जइ समजाये कंत, घर आये आनन्दघन भये - વસન્ત તે વ્યા છે જો ભાવાર્થ-શુક્રતના સ્ત્રી પોતાના મિત્ર અનુભવને કહે છે કે, જેના તનમાં દૈતભાવનાની સારડી લાગી રહે છે તેને કેટલું બધું દુઃખ થાય છે, તેને તે અનુભવ ! વિચાર કરે. ચેતન સ્વામી દ્વતભાવનાની સારડીથી મારા હૃદયમાં મહા વ્યથા ઉત્પન્ન કરે છે; તેનાથી મને જે દુઃખ થાય છે તેનો જ્યારે તે વિચાર કરે છે? પતિ અને પત્નીની ભિન્નતા એ એક જાતની હૃદયને સારનારી સારડી છે. મારા સ્વામી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy