SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૪) આત્માની દષ્ટિમાં સમાનતા ભાસે છે ત્યારે સર્વ વસ્તુઓને સાક્ષીભૂત થઈને અવલોકી શકે છે. ઉપરના ગુણસ્થાનકમાં સમતાના ગે ચડે છે અને પોતાનું શુદ્ધ અનન્તવીર્ય પ્રગટાવવા પ્રયત્ન કરે છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણેની ક્ષણે ક્ષણે અનન્ત વિશુદ્ધિ કરે છે. સમતાના યોગે આત્મા, આધિ, વ્યાધિ અને ઉપાધિનાં દુઃખનું સ્વમ ભૂલી જાય છે અને પોતાના શુદ્ધ ચૈતન્યની–વીવન દશાને ખીલવે છે. પ્રમાદના સ્થાનકેથી અત્યંત ભિન્ન થઈ પોતાના અસંખ્ય પ્રદેશોમાં આનન્દ ખુમારીવડે સ્થિર થાય છે. પિતાના શુદ્ધ સ્વરૂપ તરફ ગમન કરતો છતો, મમતાના વિકારેને પ્રલય કરે છે અને શુદ્ધ કંચનની પેઠે પિતે નિર્મલ થાય છે. અન્તરની અસંખ્ય પ્રદેશરૂપ ઋષિની અનેક અપૂર્વ શક્તિને સાક્ષાત વેદે છે અને સર્વત્ર વિષમ દષ્ટિની જે પૂર્વની પ્રવૃત્તિ હતી તેને દૂર કરે છે. સમતાના સંબંધમાં આવ્યાવિના સમતાના સંબન્ધની સુખ ખુમારી અનુભવાતી નથી. સમતાના સંબધે અનન્તકર્મની નિર્જરા થાય છે. સમતાના સંબધે આત્મા અત્તર સૃષ્ટિને કર્તા બને છે અને બાહ્ય સૃષ્ટિનો હર્તા બને છે. સમતાનો સંબધ થતાં આત્મા પોતાના સ્વરૂપમાં તલ્લીન બને છે. સમતાના બે આત્મા પિતાનું આન્દમય શુદ્ધ જીવન અમર કરે છે, અર્થાત્ તે બાહ્ય ભાવથી મરે છે, પણ અન્તરથી સત્ય જીવનથી જીવે છે. સમતા ગુણયલ છે તેથી તે આત્માને પરમ શાન્તિ આપે છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, સમતાના ઘેર ચેતન આવતાં અનુભવ સુખને રંગ વધે છે અને ચેતન સદાકાલ શાશ્વત સુખને ભેતા બને છે. સૂચના(આ પદમાં રાગ દ્વેષયુક્ત મનને, મેવાસી ગણેલ છે.) પદ્ ૧૭. (ાર મારામારી.) देखो एक अपूरव खेला, आपही बाजी आपही बाजीगर । आप गुरु आप चेला ॥ તેણી | ? .. ભાવાર્થ:-શ્રીમઆનન્દઘનજી મહારાજ, સમતાના ગે આભાની જે દશા થાય છે તે બતાવે છે. સમતાના સંબંધમાં આત્મા આવે છે ત્યારે અન્તર સુષ્ટિનો ખેલ આત્મા ખેલે છે અને તે અપૂર્વ ખેલ છે. તે લોક! આત્માનો અપૂર્વ ખેલ દેખો! બાહ્યના ખેલ દેખવાને માટે કેમ જ્યાં ત્યાં આથડે છે? આ અપૂર્વ આત્માનો ખેલ દેખશે ત્યારે બાહ્ય ખેલપર પ્રેમ થશે નહિ. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy