SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨) ધારણ કરતા હતા. હાલ પણ વિવેક દષ્ટિથી તે પ્રમાણે વર્તવામાં આવે તો ઉન્નતિક્રમમાં આગળ પગલું ભરી શકાય અને કરોડે મનુષ્યના આત્માઓને ઉચ્ચ કરી શકાય. પૂર્વના જૈન શાસ્ત્રોના તને, ધનની પેઠે હૃદયમાં ધારણ કરતા હતા અને તેઓ અવસર હતા તેથી જૈનધર્મનું રક્ષણ અને વૃદ્ધિના ઉપાયને આંખ આગળ ખડા કરી શકતા હતા. પૂર્વના જૈન સર્વ ક્રિયાઓને નિયમસર કરતા હતા, તેથી તેમનું શરીર તંદુરસ્ત રહેતું હતું. મતલબ કે, ઉન્નતિ પિષક તત્ત્વોને આંખ આગળ ખડાં કરનાર વિવેક દષ્ટિ છે. પડાવશ્યક ક્રિયાની આવશ્યકતા પણ વિવેક દષ્ટિથી વિચારતાં સત્ય કરે છે. આલસ્ય, પ્રમાદ, કલેશ, કુસંપ, નિન્દા અને સ્વાર્થ વગેરેથી કદી પૂર્વકાળમાં કેઇની ઉન્નતિ થઈ નથી અને વર્તમાનમાં કોઈની થતી નથી, તેમ ભવિષ્યમાં કેઈની થનાર નથી; એમ વિવેક દૃષ્ટિથી સમજાય છે. સંસાર સમુદ્રમાં વિવેક દષ્ટિ એક મોટી સ્ટીમરના જેવી છે, તેને જે પ્રાપ્ત કરે છે તે ઈષ્ટ સ્થાનમાં જાય છે. સંસાર સમુદ્રમાં વિવેક દષ્ટિવિના ઘણુ મનુષ્ય બુડે છે. કીકી વિના આંખની શેભા નકામી છે, નાકવિના મુખની શોભા નકામી છે, પતિવ્રતવિના સ્ત્રીની શોભા નકામી છે, દાનવિના ઘરની શોભા નકામી છે, સત્યવિના જીવ્હાની શોભા નકામી છે, ગંધવિના પુષ્પની શોભા નકામી છે; તેમ વિવેકદષ્ટિવિના મનુષ્યની શેભા નકામી છે. સર્વ શાસ્ત્રો ન ભણુય તેનો શેક નથી, પણ જે વિવેક પ્રાપ્ત ન થાય તે શક સમજ. મનુષ્ય શરીરાકારથી સર્વે સરખા છે, પણ તેમાં ઉત્તમ કેણુ છે, તે વિવેકવિના પારખી શકાતું નથી. વિવેક દષ્ટિધારકે સત્યસુખપ્રતિ ગમન કરે છે અને કરે મનુષ્યોને ઉત્તમ માર્ગ પ્રતિ વાળે છે. વિવેક દષ્ટિથી મનુષ્ય સર્વ જગતમાંથી સારતત્ત્વને ખેંચી લે છે અને તેઓ જે કરે છે તેમાં ઘણે લાભ થાય છે. વિવેક દષ્ટિથી મનુષ્ય સર્વ આશયોની અપેક્ષાઓને સમજવા લાયક બને છે. અમુક દેશમાં અમુક રીતે વર્તવું અને અમુક કાળમાં અમુકરીતે વર્તવું, અમુક મનુષ્યની સાથે અમુક રીતે વર્તવું અને અમુક દશામાં અમુક રીતિએ વર્તવું; વડેરાઓની સાથે અમુકરીતિએ વર્તવું, તેમજ સાનુકુળ અને પ્રતિકૂળ સંયોગેમાં અમુકરીતિએ વર્તવું, ઈત્યાદિ વિવેકથી સમજાય છે અને તે માટે પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ કાર્યોમાં વિવેકની જરૂર છે. વિવેકબુદ્ધિથી નીતિના સિદ્ધાન્તો સચવાય છે. વિવેક દષ્ટિથી જગતના વ્યાવહારિક કાયદાઓ ઘડાયા છે. ઉપસંહારમાં કહેવાનું કે વિવેક દૃષ્ટિવિના ઉન્નતિક્રમનું પગથીયું પ્રાપ્ત થવું દુર્લભ છે. વિવેક For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy