SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) મોટી ઉમર થતાં કુસંસ્કારાને આચારમાં મૂકેછે, માટે માલ્યાવસ્થાથી અસત્ મનુષ્યોની સામત ન રહેવી જોઇએ. ફસાબતની અસર બાળક ઉપર તુર્ત થાય છે, કારણ કે આલક જેવું દેખે છે, સાંભળે છે, તેવું કહે છે. તેનામાં પરીક્ષા કરવાની બુદ્ધિના વિવેક ન પ્રગટવાથી, ખરેખર તે તુર્ત જેના તેના આચારા અને વિચારોના આધીન થઈ જાય છે. તે ઉપર એક દૃષ્ટાન્ત કહે છે. પાદરા પાસે એક નાનું ગામ હતું, ત્યાં એક ભિલ્લ રહેતા હતા, તેના ઘરમાં બે નાનાં બાળક હતાં, ભિલ્લુના ઘરની પાસે એક દેવીની સ્થાપના હતી, પેલા ભિન્ન દેવીની આગળ કુકડાને ભાગ આપવામાટે છરાવડે કાપી નાખતા હતા, પેલાં બે બાળકોએ તેનું આચરણ જેયું, તેવામાં એક દિવસ ભિન્ન વગડામાં ગયા હતા, પેલાં બે ખાળક દેવીના સ્થાનક આગળ ગયાં તેમાંથી એક માળકના મનમાં કંઈક સ્ફુરી આવ્યું અને તે ઘરમાંથી એક માટે! છરો લઈ આવ્યા અને તેના કરતાં નાનું બાળક હતું તેના ગળામાં છરા માર્યો અને દેવીની આગળ પેલા આળકને મારી નાખેલું રહેવા દીધું, પશ્ચાત્ વગડામાંથી ભિન્ન આવ્યે અને તેની આગળ એક પેલા છરા મારનાર બાળક દેખાયા. પેલા ભિન્ને પૂછ્યું કે, નાનું બાળક કયાં છે? ત્યારે તેણે કહ્યું કે, તેને માતાના પારાની આગળ માતાને ચઢાવ્યે છે. ભિલ્લુને સંશય થયા અને તેણે ત્યાં જઈ જોયું, તેા બાળક મરેલું દેખ્યું. પેલા છેોકરાને પુચ્ચું-કેમ તે આ નાન્હા છે.કરાને મારી નાખ્યા ? ત્યારે તેણે કહ્યું કે બાપા તમે કુફ ડાને માતાના પારે મારીને ચડાવા છે, ત્યારે મેં મારા નાન્હા ભાઇને મારી નાખીને માતાની આગળ ચડાવ્યા, અર્થાત્ બાપા મેં પ તમારી પેઠે કામ કર્યું. આથી તે બાળકના પિતા બહુ રહ્યો, દુઃખી થયા, હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” એ કહેવતની પેઠે તેનું થયું. આ રીતે પેાતાના ઘરમાં જે મોટા કહેવાય છે, તે જેવું આચરણ કરે છે તેવું નાનું બાળક પણ આચરણ કરે છે. હિંસાદિ દુર્ગુણી મનુષ્યેાના ઘરમાં ઉછરેલાં બાળકો પણ માલ્યાવસ્થામાંથીજ ખરાબ સંસ્કારોને ગ્રહણ કરે છે. જૈનનાં બાળકો જૈન ધર્મના સંસ્કારને બાલ્યાવસ્થાથી ગ્રહણ કરે છે. મેાટી ઉમર થતાં કદાપિ કોઇને અસત્ જનની સંગતિ થઈ જાય છે તે, તે નાસ્તિક ને પાપી બની જાય છે, માટે જેનાને એહાથ જોડીને પ્રાર્થના કરવાની કે તમારાં પુત્ર અને પુત્રીઓને ધર્મી બનાવવાં હોય તેા ઉત્તમ સાધુઓ અને સાધ્વીઓ વગેરેના સત્ સમાગમમાં રાખવાં. ઇંગ્લીશ વિદ્યા ભણાવવામાં આવે તા પણુ, સાધુઓના પરિચય રખાવવા અને ધર્મના પુસ્તકોના અભ્યાસ કરાવવા. જો એપ્રમાણે નહિ કરવામાં આવે તે અસત્ સંગતિથી ઉલટું પરિણામ આવવાનું અને તમે પશ્ચાત્તાપ પામવાના, For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy