SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૩) કમવિપાકની ઉદીરણા થતી નથી. અત્યંત ઉગ્ર વેગવાળા શુભ વિચારના પ્રવાહથી અશુભ કર્મ પણ શુભ કર્મરૂપે પરિણમે છે અને અશુભ કર્મની નિર્જરા થાય છે, તેમજ અશુભ કર્મનું અપવર્તન થાય છે અને શુભ કર્મ માટે ઉદ્વર્તનકરણ કરી શકાય છે. શુભ પરિણામમાંથી શુદ્ધ પરિણામમાં પ્રવેશ કરવા માટે, સમતાની પ્રાપ્તિ કરવી જોઇએ. સમતાની પ્રાપ્તિથી શુદ્ધ પરિણામ ધારણ કરી શકાય છે, માટે ભવ્ય જીએ શુભ પરિણામ રાખી અનુક્રમે આગળ વધવું. એકદમ શુદ્ધ પરિણામને શિખર પર ચડવા માટે કુદકે મારવાથી રસમતાનું શિખર પ્રાપ્ત થશે નહિ અને શુભ પરિણુમનાં પગથીયાં પણ ગ્રહણ કરી શકાશે નહિ. દયા, પ્રેમ, ભક્તિ, સાધુસેવા, ગુરૂવંદન, તીર્થયાત્રા, સુપાત્રદાન, આદિ ધર્માનુષ્ઠાન વગેરે શુભ કૃત્યોને સ્વાધિકાર પ્રમાણે રોવવાની ખાસ જરૂર છે. જે મનુષ્ય શુભ પરિણુમ યાને શુભ રાગાદિનાં પરિણામ છે, જે પુણ્યને ઉત્પન્ન કરે છે તેને પણ ધારણ કરવા શક્તિમાન નથી અને રાત્રી દિવસ અશુભ પરિણામ અને પાપારંભનાં કૃત્યોને કર્યા કરે છે, તે મનુષ્ય શુભ પરિણામને છોડી એકદમ શુદ્ધ પરિણુમ ધારણું કરવા શક્તિમાન્ થતો નથી. પ્રથમતે, પ્રેમ, સ્નેહ, પરોપકાર, દયા, દાન, દેવગુરૂની ભક્તિ અને સર્વનું શ્રેયઃ કરવાના સુવિચારો કરવા. જગતના ભલા માટે શુભ પ્રવૃત્તિ કરવી. જગતના જીવોને પોતાના આત્મસમાન માનીને તેઓને આત્મદષ્ટિથી દેખવા અને રિપુઓને પણ આત્મદષ્ટિથી જેવા; કે જેથી સત્વગુણની ભાવના ખીલવા માંડશે અને પરમાર્થવૃત્તિ થવાથી સ્વાર્થના વિચારોનો સ્વયમેવ નાશ થશે. આત્માને આત્મરૂપે અને જડને જડરૂપે દેખવાની વિવેકશક્તિ પ્રાપ્ત થતાં શુદ્ધ પરિણામની ધારાને પ્રાપ્ત કરવા ચેતનનો અધિકાર પ્રગટે છે અને અન્ત શુદ્ધ પરિણુમથી, સકલ કમનો ક્ષય થાય છે; માટે અષ્ટ કર્મનો નાશ કરવાની ઈચ્છા ધારણ કરનારે ઉપર્યુક્ત ઉપાયો પ્રમાણે પ્રવૃત્તિ કરવી. આત્મારૂપ ચન્દ્રના ઉપ૨ કર્મરૂપ વાદળ લાગેલાં છે, છતાં તેને ઉપર્યુક્ત ઉપાયોથી હઠાવી શકાય છે; એમ સમતાએ વિવેકને જણાવ્યું. જે આત્મા ઉપર્યુક્ત કથેલી મારી શિખામણ માને તો, નિરભ્ર (વાદળવિનાના) ચન્દ્રના પ્રકાશની પેઠે પ્રકાશિત થઈ શકે, પણ તેમને હે વિવેક ! તમારા જેવા સમજાવે તે જ સમજી શકે. મારા સ્વામિજી મારી શિખામણ ત્યજીને હારૂં ઘર છોડીને પરઘેર એટલે, અવિરતિના ઘેર ભમે છે, તેમાં તેમનું કઈપણું રીતે શુભ થઈ શકતું નથી, પણ પોતાની ઘણી હાનિ થાય છે તે નીચે મુજબ, परघरममतां स्वादकियोलहे, तन धन यौवनहाण । दिनदिन दीसे अपयस वाधतो, निजजन न माने कांणावा०॥३॥ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy