SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૦ ) મુંઝાય છે તેથી નવીન કર્મ બાંધે છે. રાગદ્વેષના ગે કર્મ બંધની સ્થિતિ વૃદ્ધિ પામે છે. મન વચન અને કાયાના યોગ થકી પ્રદેશબંધ અને પ્રકૃતિ બંધ પડે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડાછેડી સાગરોપમની છે. મેહનીય કર્મની રિસૉર કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. નામકર્મ અને ગોત્રકર્મની વીશ કેડાછેડી સાગરેપમની સ્થિતિ છે અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ ત્રીજા વેદનીય કર્મની છે. નામ કર્મ અને નેત્રકમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની જાણવી. બાકીના પાંચ કમેની અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ જાણવી. અશુભ પાપ પ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કડવો જાણો અને શુભ પુણ્ય પ્રકૃતિનો રસ શેલડીના રસની પેઠે મિષ્ટ જાણુ. કર્મની સ્થિતિ અને રસ સંબંધી વિશેષ વ્યાખ્યાન કર્મગ્રન્થમાંથી જોઈ લેવું. व्यापार भागो जलवट थल वटें रे, धीरे नहीं निसानी माय ।। व्याज छोडावी कोइ खंदा ( कांधा) परठवे रे, तो मूल आपुं સમ ાય છે પૂ. | ૨ | ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, પ્રમત્ત આદિ દશાના યોગે અને પૂર્વભવકૃત કર્મના ઉદયથી ધર્મને વ્યાપાર ભાગે. શ્રત અને ચારિત્રધર્મ તે થલવટ અને જલ માર્ગના વ્યાપાર સમાન છે. શ્રત અને ચારિત્રવિના ધર્મરૂપ ધનની વૃદ્ધિ થતી નથી. ધર્મધનની વૃદ્ધિ માટે આગમરૂપ શ્રતનો અભ્યાસ કરવો જોઈએ, તેમજ જિનેન્દ્ર કથિત ચારિત્રધર્મ ગ્રહણ કરવો જોઈએ. નાળરસારું વિર, જ્ઞાનચ ૪ વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાનનો અભ્યાસ કરીને જ્ઞાની બન્યા પશ્ચાત્ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી જોઈએ અને અપ્રમત્ત વેગથી ચારિત્ર પાળવું જોઈએ. શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં પ્રમાદ કરવાથી બે માર્ગને વ્યાપાર પડી ભાગે છે અને વ્યાપાર પડી ભાગવાથી નિર્ધનાવસ્થા આવી જાય છે અને કોઈ સદ્દગુરૂ મહારાજ શ્રદ્ધા, વિનય, વિવેક વગેરે ગુણેની યોગ્યતાવિના મૃતધર્મ અને ચારિત્રધર્મને ધીરતા નથી, અર્થાત્ યોગ્યતા આવ્યાવિના કેઈ સદ્ગુરૂ ધર્મધનને ધીરી શક્તા નથી. પ્રમાણિકપણાની નિશાની માગીને વ્યાપાર કરવા ધર્મનાણું ધીરવામાં આવે છે. કઈ પુરૂષ મુનિરાજ, કર્મની પરંપરાની વૃદ્ધિરૂપ વ્યાજ છોડાવીને કર્મનાં કાંધાં પરઠવે તો, મૂળ રકમ સમ ખાઈને For Private And Personal use only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy