SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૩) નામ પણ ત્રિપુટીની એકયતામાં ભૂલી જવાય છે, પણ ક્ષયોપશમ ભા. વના યોગે પાછી સવિકલ્પદશા પ્રાપ્ત થાય છે અને પ્રીતમને જાપ જપ પડે છે. एक समे आलापके हो, कोने अडाणे गान ॥ सुघड बपीहा सुरधरे हो, देत है पीउ पीउ तान ॥ भादु०॥४॥ ભાવાર્થ – સમતા કહે છે કે, હું અનુભવમિત્ર ! એક વખત મારા પતિના ચિંતવનમાં હું એકલી બેઠી હતી અને તે વખતે મારા પતિના સ્વરૂપનું વારંવાર સ્મરણ કરતી હતી. મારા પતિના મેળાપના વિચારોમાં હું ગરકાવ થઈ ગઈ હતી, અર્થાત્ મારા પતિના પ્રેમમાં હું તન્મય બની ગઈ હતી અને પતિના વિયોગે હું અન્તરમાં વિલાપ કરતી હતી, તેવામાં અટાણે અર્થાત્ બે વખતે સુઘડ બપૈયાએ સ્વર કર્યો, અથવા મારા પતિનું હું સ્મરણ કરતી હતી તે વખતે સુઘડ બપૈયાએ સ્વરને આલાપ કરીને મારા પિયુ પિયુ એવી શબ્દની રટનામાં તેણે તાન પૂર્ય, અર્થાત તેના સ્વરના રસાલાપથી મારા પતિના મરણમાં વિશેષતઃ તાન ધારણ કરવા લાગી. પતિ વિયોગિની સ્ત્રી પોતાના પતિનું સ્મરણ કરતી હોય અને તે વખતે બપૈયો પિઉ પિઉ શબ્દ કરે છે, તો પતિવિગિની સ્ત્રી પોતાના પતિની રટનામાં વિશેષતઃ પ્રવૃત્તિ કરે છે અને પતિને મળવા વિશેષતઃ ઉત્સુક થાય છે. સમતા પતિનું ધ્યાન ધરતી હતી અને એવામાં મનરૂપ બપૈયાએ સ્વરનો આલાપ ર્યો, તેથી સમતા પિતાના શુદ્ધચેતનને મળવા વિશેષતઃ ઉત્સુકતા ધારણ કરવા લાગી એવો અનુભવ નીકળે છે. સમતા મનની સમાનસ્થાપક સ્થિતિને જાળવી રાખે છે, તેથી મન પણ સમતાને પરમાત્મા પ્રભુ મેળવવામાં ક્ષોપશમ ધ્યાનવડે મદત કરે છે. સમતાના કાર્યમાં મન બારમા ગુણસ્થાનક પર્યત મદત કરે છે. ભાવમનની મદતવિના ઘાતકર્મને ક્ષય થતો નથી. મનની મદતથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે છે, માટે સમતાને મનબર્પ સ્વરના આલાપથી તાન આપે છે; એમ અનુભવ પ્રતીત થાય છે અને તેથી સમતા પિતાના શુદ્ધ ચેતન પતિને મેળવવા અત્યંત પ્રવૃત્તિ કરે છે. रात विभाव विलात है हो, उदित सुभाव सुभान ॥ सुमता साच मते मिले हो, आए आनन्दघन मान ॥ માટુ છે જો ભાવાર્થ –રમતા કહે છે કે, પ્રિય પ્રિય એવા શબ્દને તાન ભ. ૨૦ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy