SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧ ) કેટલાક બાવાઓ એકાન્ત મિથ્યાત્વના યોગે એમજ માને છે કે, લાંબી જટા રાખી તેમાં ગંગાને લપેટી રાખવાથી મુક્તિ મળે છે. આવા મૂર્ખ લેકે પણ મતિને મિથ્યાત્વમાં ખેંચીને પોતાના કેશમાં લપેટે છે. બાહ્ય દષ્ટિધારક મિથ્યાદર્શનીઓમાં નિરપક્ષ સ્યાદ્વાદરૂપ એક સત્ય પક્ષ ધારણ કરનાર કઈ દીઠે નહીં, તેથી તેઓથી મારી વેદના ટળી નહીં. राम भणी रहीमान भणाई, अरिहंत पाठ पठाई ॥ થરથરને શું ધંધે વટ, વી વી સાડૅમાય || ૪ | ભાવાર્થ –મતિ કહે છે કે, હે વિદ્યાજનની! રામના નામનું ભજન કરનારાઓએ મને રામમાં જોડી રામને પાઠ ભણાવ્યો. રામ એહી, રામાનન્દી વગેરે પત્થના સાધુઓ તથા ભક્તો રામરામ જગ્યા કરે છે. રામરામ જપનારા પિતાને પક્ષ તાણને પ્રભુનાં અન્ય નામ જપવામાં ધર્મ માનતા નથી. કૃષ્ણ અને હરિનું નામ જપનારાઓ પોતાના પથમાં રાચે છે, માચે છે અને શિવનું નામ પણ દેતાં પાપ માને છે. શિવનું નામ ભજનારાઓ અન્યનું નામ દેતાં અરૂચિને ધારે છે, તે પણ મને પક્ષપાતમાં તાણે છે. અરિહંત જ પનારાએ મને અરિહતને પાઠ પઢા, અરિહંતનો પાઠ ભણતાં અનેક ભવનાં પાપ ટળે છે. અરિહંતના સમાન જગતમાં કેઈ અન્ય દેવ નથી, અરિહંત ભગવાનને ઉપદિષ્ટ ધર્મ સમાન અન્ય કઈ ધર્મ નથી. અરિહંત એ શબ્દને અર્થપૂર્વક જપ કરતાં સકલ કર્મનો ક્ષય થાય છે, પણ મરીચિની પેઠે જે ઉસૂત્ર પ્રરૂપણું કરીને જે જૈનધર્મમાં નિહ થઈ પન્થ કાઢે છે, તે મહા પાપ ઉપાર્જન કરે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું છે કે, पाप नहि कोइ उत्सूत्रभाषणजिस्यो. धम नहि कोइ जगसूत्रसरीखो ॥ सूत्रअनुसार जे મવિશ વિકરિયા રે, તે શુદ્ધવારિત્ર પરવો છે ધાર૦ જગતુમાં જિનેશ્વરનાં આગામે વિરૂદ્ધ ઉસૂત્ર ભાષણ કરવું તેના સમાન કેઈ પાપ નથી અને જિનકથિત આગમના અનુસારે ઉપદેશ દેવો તેના સમાન કેઈ ધર્મ નથી. પિસ્તાલીશ આગમ વગેરેના અનુસારે ઉપદેશ દેવા જોઈએ. ઉસૂત્ર ભાષણ કરનારાઓ, અરિહંતને સત્ય પાઠ ભણતાં મને કદાગ્રહમાં ખેંચે છે, તેઓ ઉસૂત્ર પ્રરૂપણુવડે મને યુક્તિ કદાગ્રહના પક્ષમાં ખેંચે છે. નામમાત્રનો જાપ કરવામાં આવે અને વસ્તુ સ્વરૂપ સમજવામાં ન આવે તેમજ ઉસૂત્ર ભાષણ, કદાગ્રહ, વગેરે દોષને સેવવામાં આવે તો અરિહંત પાઠમાં સ્થપાયેલી મતિને, સમ્યગૂ અનેકાન્ત જ્ઞાનના અભાવે પક્ષમાં ખેંચાઈ લેઈ જવાય એમ બનવા યોગ્ય ધારીને, શ્રીમદ્ આનન્દઘનજી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy