SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯) પ્રકારની અહંતા અને મમતાની ભાવનામાં પણ જરા માત્ર શાતિ નથી. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કર્યા, પણ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી કિંચિત પણ સુખ ભાસ્યું નહીં. બાહ્ય દુનિયામાં પ્રતિષ્ઠા, કીર્તિ, વિસ્તારવાને અનેક પ્રકારની ઉપાધિ વેઠી અને બુદ્ધિ પ્રમાણે અનેક પ્રકારનાં કીર્તિવર્ધક આચરણે આચર્યા, પણ તેથી જરા માત્ર નિત્ય આનંદ પ્રાપ્ત થયો નહીં. સ્વમાં ભાસેલી દુનિયામાં કશું સદાકાળ રહેનાર છે? જગતમાં સર્વ લેકેની આગળ પિતાના સુખાથે અનેક પ્રકારનું બુદ્ધિચાતુર્ય દેખાડ્યું, પણ સર્વ લોકોને એકસરખે ભાસ થ નહીં; એવા આ જગતમાં કેણુ પુરૂષ સમજીને મમતાના વશમાં પડી રહે? અલબત કઈ પણું પડી રહે નહીં. મમતા સ્ત્રી કાચી છે અને જૂહી છે, તેમજ દુઃખની દેનારી છે, એમ નિશ્ચય થતાં ક સત્યજ્ઞાતા મનુષ્ય, મમતાના પાશમાં ફસાઈ જાય? હવે તો મારું શુદ્ધ સ્વરૂપ મ બરાબર જાણ્યું, તેથી હે રામત ! હું તારા સંબંધમાં આવ્યો છું અને હવે તને કદાપિ છોડનાર નથી; એમ નિશ્ચયથી કહું છું. औसर पाइ अध्यातमशैली, परमातम निजयोगधरेरी, शक्तिजगावे निरुपम रुपकी, आनन्दघन मिली केलि करेरी.॥ મેરી ને રૂ . ભાવાર્થ-આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ અવબોધીને, અવસર પામી અધ્યાત્મ શૈલીને જ્ઞાતા થયે; ખરેખર આત્માને તુર્ત મુક્તિમાર્ગમાં પ્રવેશ કરાવનારી અધ્યાત્મ શૈલી છે. જડને જડપણે ઓળખાવનારી અને આત્માને આત્મપણે ઓળખાવનારી અધ્યાત્મ શેલી છે. અનેક પ્રકારની વિધાનો અભ્યાસ કરીને વિદ્વાન બનેલા મનુષ્ય, જ્યાં સુધી અધ્યાત્મ શૈલીને જાણતા નથી ત્યાંસુધી, તેમની અન્ય વિદ્યાથી દારૂને પીનારા મર્કટની પેઠે મનમર્કટની ચંચળ દશા રહ્યા કરે છે. જેઓ બાહ્ય પરિણતિમાં રાચીમાચી રહ્યા છે, તેઓ અધ્યાતમ શૈલીથી પરા મુખ રહે છે; તેઓના મનમાં અધ્યાત્મ શૈલીની ગંધ માત્ર પણ પ્રવેશતી નથી. પંચમ કાળમાં અધ્યાત્મ શેલીને રાગ થવો પણ દુલૅભ છે. આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખીને નિજ શક્તિ પ્રગટાવી, પોતાનામાં સત્તાઓ રહેલું પરમાત્મપદ છે, તેના વેગને ધારણ કરવા લાગે. હેય રેય અને ઉપાદેયને વિવેક કરીને અન્તર દષ્ટિ ધારણ કરવા લાગ્યું. પિતાના શુદ્ધસ્વરૂપમાં ઉપયોગ રાખીને સ્થિર થવા લાગ્યો. બાહ્ય દશાના મનમાં જે જે સંકલ્પ પ્રગટવા લાગ્યા તેને વારવા લાગ્યું. મમતાના કુવિચારેનો મનમાં રચાર થતાંજ તેઓનો ક્ષય કરવા લાગે અને બાહ્ય જગત દેખતાં છતાં લ, ૧૭ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy