SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે અને ભવિષ્યમાં અનેક મનુષ્ય સમતાવડે મુક્તિપદ પ્રાપ્ત કરશે. સમતા રાખે! સમતા ખરી છે ! એમ બેલવા માત્રથી કંઈ એકદમ સમતા પ્રગટતી નથી, પણ આત્મા અને જડ વસ્તુઓને વિવેક પ્રાપ્ત કરી હદયની શુદ્ધિ કરવાની જરૂર છે. દરેકને પોતાને કેટલાક પ્રિય પદાર્થો લાગતા હોય અને પિતાને કેટલાક અપ્રિય પદાર્થો લાગતા હોય, તે સંબંધી વિચાર કરીને પ્રિય અને અપ્રિયપણું ન પ્રગટે એવો જ્ઞાનપૂર્વક માનસિક અભ્યાસ કરવાની આવશ્યકતા છે. જીવન દોષ દેખવાની તથા નિન્દા કરવાની વૃત્તિને હઠાવવી જોઈએ. સમતા એજ આત્માનું શુદ્ધ ચારિત્ર સમજીને તેને પ્રાપ્ત કરવા મધ્યસ્થ દષ્ટિને ખીલવવાની જરૂર છે. સમતા એજ આત્માને વસ્તુતઃ શુદ્ધ ધર્મ છે, એમ રામજીને દરેક કાર્યો કરતાં, બેસતાં, ઉઠતાં, ચાલતાં અને વાત કરતાં, અતરમાં સમતાને પરિણામ ધાર જોઈએ. એમ શ્રી આનન્દઘનજી પિતાને તથા સાધુઓને ઉપદેશે છે. पद् ३१. શ્રીરા. कित जान मते हो प्रान नाथ, રુત ગાઉ નિહાર ઘી સાથ છે છે ભાવાર્થ –ચેતના કહે છે કે, હે પ્રાણનાથ ! તમે સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ એ બે માર્ગ જાણુંને કેમ સંસારમાર્ગ પ્રતિ પ્રયાણ કરે છે? સારાંશ કે તમે સાંસારિક માર્ગની કેમ અભિલાષા કરે છે? હે આત્મસ્વામિન ! તમે મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરીને આપશ્રીના સહજ મૂળઘરના કુટુંબને દેખે આત્માને વિવેકગુણું પ્રગટ થતાં ચેતના આ પ્રમાણે સ્વકીય સ્વામીને સત્ય અને અસત્ય માર્ગનું સ્વરૂપ અવબોધે છે. સાંસારિક માર્ગ અનેક પ્રકારનાં સંકટથી ભરેલો છે. સાંસારિક માર્ગમાં પડેલા જીવ જરા માત્ર પણ સહજ શાતિ પ્રાપ્ત કરી શકતા નથી. સંસાર બળતા અગ્નિ સમાન છે. સંસાર ઈન્દ્રજાળની માયા સમાન ક્ષણભંગુર છે. સંસારના માર્ગે જવ અનાદિકાળથી ગમન કરે છે, પણ કેઈ જીવ સંસારમાં રહીને સુખ પામ્યો નથી અને પામવાને નથી. નામ સંસાર, સ્થાપના સંસાર, દુષ્ય વંસાર અને માત્ર સંસાર, એ ચાર ભેદે સંસાર છે. ચતુર્ગતિરૂપ સંસારમાં જ આડા અવળા પરિભ્રમે છે, કિન્ત એક સ્થાનમાં ઠરીને સહજ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મેહરા ભ. ૧૨ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy