SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) થઈ છે. ચજીવવું: સાપાત્” યજુર્વેદનાં હજાર પદ છે પણ તે પ્રમાણે હાલ જણાતાં નથી. વેદને કોઈ ઇશ્વરકૃત પૌરૂષય માને છે, ત્યારે જૈમિની વગેરે વેદ ઈશ્વરકૃત નથી, અનાદિથી છે; એમ યુક્તિ દેખાડી અપૌરૂષય માને છે. કેટલાક ત્રણ હજાર વર્ષ પૂર્વ વેદ અન્યા છે એમ માને છે. વેદના આધારે જેટલા ધર્મ નીકળ્યા છે તેની એકસરખી માન્યતા હાલ જોવામાં આવતી નથી. વેદમાં પશુયજ્ઞ વગેરે કરવાનું લખ્યું છે એમ સનાતન વેદમાગી જણાવે છે ત્યારે આર્યસમાજી વેદમાં પશુયજ્ઞ કરવાનું લખ્યું નથી તથા શ્રાદ્ધ વગેરે નથી એમ જણાવે છે. કુરાનમાં ખુદાની સ્તુતિ છે. ઉપર્યુક્ત દષ્ટિપ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે હું કુરાનને પણ જાણુતા નથી. તેમજ છન્દશાસ્ત્રોનાં લક્ષણાને પણ હું જાણતા નથી, તેમજ શ્રીમદ્ આનંદધન કહે છે કે, તર્કશાસ્ત્રમાં પ્રકાશિત વાદ અને વિવાદને પણ હું જાણતા નથી. ચાર પ્રમાણુ, અનુમાનનાં પંચ અંગ અને લક્ષણ વગેરેના તથા વાદ અને વિવાદના અનેક ભેદ જણાવ્યા છે તે પણ હું જાણતા નથી અને કવિયેા કવિતા રચવાની અનેક યુક્તિયા કળા જાણે છે તે પણ હું જાણતા નથી. શ્રીમદ્ આનંદઘનજી આ પ્રમાણે આલે છે ત્યારે તે શું વેદ, તર્કશાસ્ત્ર, કાવ્યરચના વગેરે નહિ જાણુતા હેશે? અલબત તે સર્વ જાણે છે. પણ પ્રભુની પ્રાપ્તિમાટે સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા પ્રમાણે સાપેક્ષપણે અને પરિપૂર્ણપણે હું જાણતા નથી એમ શ્રીમદ્દ્ના કહેવાના આશય પ્રતીત થાય છે. અન્ય વિદ્વાનેા બાહ્યદૃષ્ટિથી એકાંતપણે આજીવિકા, કદાગ્રહ અને ગડ્ડરિક પ્રવાહ વગેરેમાં તણાઇને જેવા અર્ચ કરે છે. અને જેવું જ્ઞાન ધરાવે છે તે પ્રમાણે હું પૂર્વોક્ત બાબતાને તેના આશય પ્રમાણે અબાધી શકું છું, પણ સ્યાદ્વાદસૃષ્ટિ પ્રમાણે તે તે બાબતાને હું પરિપૂર્ણપણે અવબાધી શકતા નથી. અનેકાંત મત પ્રમાણે હેય, જ્ઞેય અને ઉપાદેયપણે તે જાણું છું. નંદીસૂત્રની આજ્ઞા પ્રમાણે સમ્યગ્દૃષ્ટિને મિથ્યાત્વ શાસ્ત્રો પણ સમ્યકત્વપણે પરિણમે છે અને મિથ્યાદષ્ટિને સમ્યકત્વાત્પાદક શાસ્ત્રો પણ મિથ્યાત્વપણે પરિણમે છે; અતએવ અનેકાન્તાષ્ટિથી પરિપૂર્ણપણે ઉપર્યુક્ત તે તે શાસ્ત્રોને જાણીને અને તે તે ખાખાને પરિપૂર્ણ સમ્યકત્વપણે પરિણમાવીને પ્રભુપદની યાચના કરવાનું હું જાણતા નથી. जाप न जानुं जुवाब न जानुं, न जानुं कवि बाता । भाव न जानुं भगति न जानुं, जानुं न सीरा ताता. ॥ अवधू०॥३॥ ભાવાર્થ.ભગવાનના નામના જાપ કરવાની વિધિને પણ યથાર્થ જાણતા નથી. ઉપાંશુ અથવા અજપા જાપ આદિ જાપના ભેદને પરિ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy