SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છૂટતી નથી. તેના ઉપર દાત આપીને આ વાતની પુષ્ટિ કરતા છતા. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, કઈ મીયાં બાગમાં લાડીઓ વી તા હતા, મીઠી લડીના ઝાડની મીઠી લડીએ વીણતા હતા તેમજ કડવી લીંબડીના ઝાડની કડવી લડીએ વીણુતા હતા. (બે ઝાડ પણ વાસ્તવિક રીતે જોતાં દોઢ ઝાડ ગણાય.) આવી સ્થિતિમાં મીયાં હતા, તેના ઘરે કોઈએ બીબીને આવીને પુછયું કે, મીયાં કયાં ગયા છે, ત્યારે બીબીએ કહ્યું કે મીયાંસાહેબ બાગમાં ગયા છે. બાગ તે શી વાત !!! પણ મીયાંભાઈ લીબડી વીણે છે તેવી રીતે આ સંસારમાં જ દુ:ખને ભગવતા છતા સુખના ડોળ ધારણ કરે છે. આમા કહે છે કે અહો ! મેં પણ અજ્ઞાન ભ્રાન્તિથી મીયાંના બાગની પેઠે વેદનીય કર્મરૂપ લીંબડાની કડવી લડીએ વીણી, પણ કડવાશ વિના કંઈ અન્ય સ્વાદ અનુભવ્યું નહીં. લીબડી સમાન ક્યા સાંસારિક પદાર્થો પર આટલી બધી મમતા હવે મારે ધારણ કરવી જોઈએ? અલબત કઈ પણ પદાર્થ ઉપર મમતા ધારણ કરવી એગ્ય નથી. સુમતિના યોગે હવે જણાવ્યું કે, સંસારરૂપ વૃક્ષનું મૂળ મમતા છે, મમતાનું નચાવ્યું આખું જગતું નાચે છે, હવે અશરણભૂત સંસારમાં કેઈના ઉપર મમતા કરવી યોગ્ય નથી; એમ સુમતિના ગે આત્મા કહે છે. अनुभव रसमें रोग न सोगा, लोकवाद सब मेटा । केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा.॥अवधू०॥३ ભાવાર્થ –આત્મામાં અનુભવ કલિકા જાગ્રત થવાથી પશ્ચાત્ અનુભવ રસ પ્રાપ્ત થાય છે, અનુભવ રસનું પાન કરવાથી આત્મા તે પરમાત્મા થાય છે અનુભવ રસમાં રોગ અને શક નથી. આત્માને અનુભવ થતાં મનના ઉપર રાગ દ્વેષની અસર અલ્પ થવાથી મનની સ્વસ્થતા જળવાઈ રહે છે અને મનનું સ્વાથ્ય જળવાઈ રહેવાથી શરીર પણ નિરોગી રહે છે. મનની અસ્વસ્થતાથી ઘણું રોગો પ્રકટી નીકળે છે. મનમાં ભય, શોક, ચિન્તા, રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, કામ, અને તૃણું, વગેરે દોષ પ્રગટવાથી અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે અને મને નની અસર શરીર અને આત્મા બન્ને પર થાય છે. અનુભવ રસ પ્રાપ્ત થતાં મનની અસ્વસ્થતા રહેતી નથી અને તેથી મનની નિર્મલ દશા રહેવાથી રાગાદિભાવ કર્મ અને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મબંધરૂ૫ રેગ ઉત્પન્ન થતું નથી; તેમજ અનુભવ રસથી દુનિયાના પદાર્થો સંબંધી મનમાં શેક ઉત્પન્ન થતો નથી. તેની સાથે અનેક પ્રકારના વાદ કરવા વગેરે અનુભવ રસનું પાન કરતાં મટી જાય છે. અનુભવ રસનું For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy