SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (46) આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને ઉપચારથી છઠ્ઠું કાલ દ્રવ્ય એ છ દ્રશ્ય આધાર છે અને પ્રત્યેક દ્રવ્યમાં રહેનાર ગુણપર્યાય તે આધેય છે. અનાદિકાળથી આધાર અને આધેય એ એ સાથે છે; -પ્રથમ દ્રવ્યરૂપ આધાર હતેા અને પશ્ચાત્ ગુણુપર્યાયરૂપ આધ્યેય થયા એમ નથી. આધાર અને આધેય બન્ને અનાદિકાળથી છે-ષદ્રવ્યરૂપ જગત્ અનાદિકાળથી છે. દ્રવ્યરૂપ અધિકરણવિના પર્યાયરૂપ આધ્યેય નથી. દૃષ્ટાંત-મુરઘીવિના ઇંડાં નથી અને ઇંડાવિના મુરઘી નથી. ઇંડાં અને મુરઘીમાં પ્રથમ કોણ ? આવેા પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે પ્રત્યુ ત્તરમાં જણાવવાનું કે ઈંડાં અને મુરઘી એ બન્નેને પ્રવાહ અનાદિકાળથી છે, એ બેમાં કેાઈ પહેલું અને બીજું પશ્ચાત્ એમ છેજ નહીં. કોઈ પુછે કે પ્રથમ ઈશ્વર કે પ્રથમ જગત્? ત્યારે તેના ઉત્તરમાં જણાવવાનું કે જો ઈશ્વરને પ્રથમ કહીએ તા આકારવિના ઈશ્વર અ ન્યત્ર રહી શકે નહીં; આકાશ તે જગરૂપ છે; જો આકાશ પશ્ચાત્ છે એમ કહીએ તે આકાશરૂપ આધારવિના ઈશ્વરની સ્થિતિ ઘટતી નથી; આ બાબતમાં ઘણી ચર્ચા છે. વિશેષ અધિકાર જાણવા હોય તેા અરીયત પરમામ=ર્શન પુસ્ત વાંચવું. સારાંશમાં ઉત્તર તરીકે સમજવાનું કે બન્ને અનાદિકાળથી સાથે છે. भुरटा बीज विना नहीं रे, बीज न भुरटा टार, निसि बिन दिवस घटे नहीं प्यारे, दिन बिन निसि निरधार ॥वि० ॥२ ભાવાર્થ.બીજવિના ભુરટા (ઘાસ) નથી અને ભુરટાવિના ખીજ નથી, ભુરટા હાય તાજ બીજ આવી શકે છે અને બીજ હાય તેજ તેમાંથી પૃથ્વી અને જલના સંયેાગે-બીજમાંથી અંકુર ઉત્પન્ન થઈ શકે છે અને ભુરટા આવી શકે છે. રાત્રીવિના દિવસ ઘટતા નથી અને દિવસવિના રાત્રી ઘટતી નથી; દીવસનું ઉચ્ચા રણ કરતાં અપેક્ષાએ રાત્રી છે એમ સિદ્ધ થાય છે અને રાત્રી કહેતાં દિવસ છે એમ અપેક્ષાએ સિદ્ધ થાય છે. તેમજ અમુક ઉત્સર્ગ માર્ગ કહેતાં અપવાદ માર્ગની સિદ્ધિ થાય છેજ. અપવાદવિના ઉત્સર્ગની સિદ્ધિ થતી નથી અને ઉત્સર્ગવિના અપવાદની સિદ્ધિ થતી નથી, અતિ વિના જ્ઞાતિની સિદ્ધિ થતી નથી. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે અમુક પદાર્થની અસ્તિતા છે તે તેના પ્રતિપક્ષી, અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે પદાર્થમાં નાસ્તિતા આવે છે. વ્યવહારવિના નિશ્ચયની સિદ્ધિ થતી નથી અને નિયત્રિના નવહારની સિદ્ધિ થતી નથી. રસવિના જિન્હાની સિદ્ધિ થતી નથી અને For Private And Personal Use Only *
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy