SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧) વર્ણન કરતારા શુંગારનું તું પિતે વર્ણન કરે તેમાં વિશેષતઃ આનન્દ પ્રગટે છે; માટે તારા શુંગારનું તું પિતે વર્ણન કર. આ પ્રમાણે ચેતનાનું કથન સાંભળીને સમતા કહે છે કે, હું મારા સ્વામિની કૃપાથી સૌભાગ્યવંતી થઈ તેથી શરીરની શેભા કરવા લાગી, મેં મારા બે હાથે સહજ સ્વભાવરૂપ બે ચુડીઓ પહેરી છે. મારી ચુડીઓ સહજ સ્વભાવરૂપ છે, પોતાના સહજ સ્વભાવે રહેવું એજ મારું શુદ્ધ કાર્ય છે. ગમે તેવા સંગમાં રાગ અને દ્વેષરૂપ વિભાવ પક્ષમાં પડવું નહિ એમ ચુડીઓ યાદી દેવરાવે છે. હે ચેતના સખી ! જે સ્ત્રી પિતાના સહજભાવે રહેતી નથી અને ઘડીમાં માસો અને ઘડીમાં તેલો થઈ જાય છે, તે પિતાના સ્વામિની હેલના કરાવે છે; માટે પોતાને સહજ સ્વભાવ મૂકીને કદી કૃત્રિમ સ્વભાવ ધારણ કરે યોગ્ય નથી. મારી ચુડીઓપર ક્ષણે ક્ષણે દૃષ્ટિ પડે છે તેથી હું પૌલિક ભાવમાં રંગાતી નથી. સહજ સ્વભાવે રહેવામાં મને અનન્તસુખની ખુમારી પ્રગટે છે. સહજ સ્વભાવ એમ સૂચવે છે કે, કદી કઈ વસ્તુ પર વિભાવ દૃષ્ટિથી જેવું નહીં. સહજ સ્વભાવે સદાકાલ વર્તવું એજ મારી ચુડીઓ છે. મેં સ્થિરતાપ ભારી અર્થાત બહુ મૂલ્યવાળાં કંકણ ધારણ કર્યા છે. મેહનીય કર્મને ક્ષય થતાં સ્થિરતા ગુણ પ્રગટે છે. પ્રમાદ ગુણસ્થાનક કરતાં અપ્રમાદ આદિ ઉપરના ગુણસ્થાનેમાં ઘણું સ્થિરતા પ્રકટે છે. મોહનીય ક્ષય કરીને સ્થિરતારૂપ કંકણુ ધારણ કર્યા છે. સ્થિરતારૂપ કંકણ એમ સૂચવે છે કે સદાકાલ આત્મસ્વામિની આજ્ઞામાં સ્થિર રહેવું, કદાપિ કાળે ચંચળ થવું નહીં અને મેરુ પર્વતની પેઠે મને નને વશ કરી સ્થિર થવું. હે સખી મેં હૃદયમાં દયાનરૂપ ઉર્વશીને ધારી છે. સ્ત્રીઓ પોતાના હૃદયમાં શોકમાદળીયાને ધારણ કરે છે. ધ્યાનરૂપ ઉર્વશી છાતીમાં ધારણ કરવાથી કઈ તરફથી પીડા થતી નથી. ધ્યાનના ગે મેહશત્રુનું જોર ચાલતું નથી. ધ્યાનથી અનેક કર્મની નિર્જરા થાય છે. ધ્યાનથી પરમાત્મપદ પામી શકાય છે. ધ્યાનરૂપ ઉવૈશીએ મારી અત્યંતભા અને મારા ગુણે શિખવા માટે મારી છાતીમાં આવીને વાસ કર્યો છે. મારા પ્રિય આત્માના ગુણોરૂપમતીની માળા મે હૃદયમાં ધારણ કરી છે. सुरन सिंदूर भांग रंगराती, निरते वेनी समारी। उपजीज्योत उद्योत घट त्रिभुवन,आरसी केवल कारी.अवधू०॥४॥ ભાવાર્થ –પિતાના સ્વામિના શુદ્ધગુણેમાં રમવું. પિતાના સ્વામીની સાથે અસંખ્ય પ્રદેશરૂપ અંગને ભેટવું, તેને સુરત કહે છે. સુરતરૂપ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy