SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) કરવી, સત્ય બોલવું, આજ્ઞા માગીને કેદની વસ્તુ લેવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, પરિગ્રહની મમતા ત્યાગવી, સ્વાર્થને ત્યાગ કરે, જગતની દશ્ય વસ્તુઓમાં અહં અને મમત્વ કલ્પવું નહીં, મનમાં અશુભ વિચાર કરવા નહીં, મને ગુપ્તિ ધારણ કરવી, વિચારીને બેલવું, કાયાને વશમાં રાખવી, પંચઈન્દ્રિના વિષયને જીતવા અને જે જે ખરાબ ઈચ્છા થાય તેને દાબી દેવી; ઈત્યાદિ અમૃત જેવા બેલ બોલે છે, તેની વૃત્તિ બહુ સારી લાગે છે, તેનું હૃદય નિર્દોષ છે, જેવું જુએ છે અને કરે છે તેવું સરલતાથી–વિશુદ્ધ પ્રેમથી આપણે આગળ કહી દે છે. આપણું ઉપર નિર્મલ પ્રેમ અને વિશ્વાસની દૃષ્ટિથી જુવે છે માટે એવા સંયમપુત્રને માર ન જોઈએ. છોરૂ ઉછરૂ થાય પણ માબાપ કમાવતર ન થાય એ કહેવત હે સ્વામિન્ ! દયાનમાં રાખો. હે સ્વામિન એનું કેવું સુન્દર સ્વરૂપ છે? આવા ગુણમૂર્તિરૂપ છેકરાને મારતાં કેમ લજા આવતી નથી? જગતમાં સત પુરૂષો તને કે કહેશે? તેને હું મારા સ્વામિન્ ! વિચાર કરે !! વિચાર કર !!! लेय लकुटियां चालण लागो, अब कांइ फूटा छे नेण । તૂ તો મરણ સિરા ભૂતો, રોટી તેજી . || છોર૦ મે ૨ !! ભાવાર્થ-હે સ્વામિન્ ! તું તે હવે લાકડીએ ચાલે છે. લાકડીના અવલંબન વિના તું ચાલી શકતા નથી. તે પણ તારી આંખો કંઈ કુટી ગઈ છે કે સંયમપુત્રને મારે છે. રાજ્યમૂદષ્ટિ, વિશેષ જુસ્સામાં આવીને કહે છે કે, તું તો હવે મરણની પથારીએ (શયામાં) સુતે છે. હવે તને પુત્ર વિના કેણ રોટી આપશે? માટે હે વૃદ્ધ સ્વામિન્ ! તું સમજ અને અવિરતિરૂપ લાકડીથી પુત્રને માર નહીં. પુત્ર છે તે તેનાથી જ્ઞાન, અને આનન્દાદિક આહાર આપણને મળશે; વૃદ્ધાવસ્થામાં સંયમરૂપ પુત્રને જ ખરેખર આધાર છે. સંયમરૂપ પુત્રમાં એવી શક્તિ છે કે, તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને અન્તરાય એ અષ્ટપ્રકારના કર્મરૂપ દેવાને થોડા વખતમાં ચુકવી દેશે; આપણુ ખરા અતઃકરણથી સંભાળ રાખશે. પુત્રના સમાન માતાપિતાની અન્ય કેઈ સમ્યગરીયા સંભાળ રાખી શકતું નથી. વૃદ્ધાવસ્થામાં દેખવાની આંખ, ચાલવાની લાકડી, અને વિશ્રામનું સ્થાન, પુત્ર હોય છે; માટે હે સ્વામિન્ ! વિષય, કષાય, મિથ્યાત્વ, આલસ્ય અને અજ્ઞાન વગેરે પ્રમાદેના વશ થઈને સંયમ છેરાને ધમકાવી દુ:ખ દેઈશ નહીં. પરભવમાં પણ તેનાવડે આપણે સુખ પામીશું, સ્વર્ગીય સુખ અને શિવસુખને અનુક્રમે પ્રાપ્ત કરીશું. માટે હે સ્વામિન્ ! હવે મારી શિખામણ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy