SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩) શકાય એ નિરૂપમ એવા નિજરૂપને મેર-મેડ (માંડ) પિતાના મસ્તકપર ધારણ કર્યો છે. પોતાનું રૂપ હું કદી ભૂલીશ નહીં એ માટે જ પિતાના રૂપને મંડ મસ્તક પર ધારણ કર્યો છે અને પિતાના સ્વરૂપની અનુયાયી થએલી જે તીક્ષ્ણ રૂચિ તે રૂપ શત્રુનું મસ્તક વિચછેદ કરનારી તીક્ષ્ણ તરવારને ધારણ કરી છે. આ વખતની વ્હારા સ્વામીની શેભા અપૂર્વ બની છે. કેઈ મનુષ્ય લગ્નપ્રસંગે સ્ત્રીને વરવા જાય છે તે વખતે મારવાડ દેશ વગેરેમાં મસ્તકે મોંડ ધારે છે. મારા આત્મરૂપ સ્વામીના મસ્તકે મેંડ જોઈને એમ નિશ્ચય થાય છે કે કેવલ જ્ઞાનરૂ૫ લક્ષ્મી સ્ત્રીને, જાણે પ્રાપ્ત કરવાને વેષ હોય એ નિશ્ચય થાય છે. પિતાના રૂપને મેંડ ઘાલવાથી એમ લાગે છે કે હવે તે કદી ભ્રાન્તિમાં પડવાના નથી, તેમજ આત્માએ પોતાના શુદ્ધધમૅપ્રાપ્તિરૂ૫ રૂચિ તરવારને ધારણ કરી છે તેથી એમ લાગે છે કે હવે તે તેઓ મેહશત્રુના સૈન્યને છેદી નાખવાનાજ. મહારાજા અને ધર્મરાજાનું યુદ્ધસ્વરૂપ વાંચવું હોય તે ગીચત્તપરના મર્જન ગ્રન્થ વિલેક. શુદ્ધ ચેતના કહે છે કે મારે આત્મરૂપસ્વામી આટલુંજ કરીને બેસી રહ્યો નથી. હવે તે તે ખરા રૂપ ઉપર આવી ગયો છે. તે કંઈ અન્ય શત્રુને હિસાબમાં ગણે તેમ જણાતું નથી. પોતાના બળ ઉપર યુદ્ધ કરવાના શુદ્ધ સંક૯૫થી તે અન્ય પણુ યુદ્ધના સાજે સજે છે, તે હવે હું જણાવું છું. टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी आतम०॥२॥ ભાવાર્થ.–શુદ્ધચેતના કહે છે કે હે શ્રદ્ધે! મારા સ્વામીએ સમતારૂપ ટેપ (શિરસ્ત્રાણુ)ને મસ્તક પર ધારણુ કર્યો છે. દુશમનનાં શસ્ત્રોથી ધ્યાનરૂપ મસ્તકનું રક્ષણ કરવા માટે જ તેણે શિરસ્ત્રાણ મસ્તક પર ધાર્યું છે. અને પરપરિણતિ ત્યાગરૂપ બ્રહ્મચર્યરૂપ દુર્ભેદ્ય કવચ ( સન્નાહ)ને અસંખ્યાત પ્રદેશરૂપ શરીરપર ધારણું કર્યું છે. લેભાદિ શત્રુઓનાં આણેથી દુર્લંઘ કવચ, આમદ્ધાના શરીરનું રક્ષણ કરે છે. તેમજ દ્રવ્યગુણુપયનું જે ધ્યાનમાં ઐક્ય ભાસે છે એવી એક્યરૂપ એક તારવાળી ચોરી (અંગરખા)ને ધારણ કરી છે. એક તારવાળી ચોરી પહેરી છે તેથી એમ સમજવું કે હવે શત્રુની સાથે યુદ્ધમાં એકતાનવાળા થવું. આત્માને મેહશત્રુની સાથે યુદ્ધ કરવાનું છે તો પોતાના ઉપગની એકતાનતા થવી જોઈએ. પોતાના ઉપયોગની એકતાનતા થવાથી અન્યત્ર લક્ષ્ય જતું નથી. આવા ઉદ્દેશથીજ તેમણે એક તારી ચેરી પહેરી હોય તેમ જણાય છે. પિતાના સ્વરૂપમાં For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy