SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) હું સ્વામિન ! મારૂં કહ્યું માની આપનું મૂળ સ્વરૂપ વિચારે. આપનું સદાકાળ ભલું ઇચ્છનારી હું છું તેથી મારા વિના આપને શિખામણુ કાણુ અતાવશે ! મારી વિજ્ઞપ્તિને સ્વીકાર કરે, અને આપની ખરી સ્રીના મેળાપ કરે. તેમજ સભ્યજ્ઞાન આદિ પેાતાના સંબંધીઓના મેળાપ કરે, અને મમતાને ઠંડો. પેાતાની સ્ત્રીરૂપ નિજજનના મેળાપ, દૂધમાં પતાસાની પેઠે વિશેષ મિષ્ટ, સુખકારક અને તન્મયપણું કરનાર છે. માટે હે સ્વામિન્ ! મારા મેળાપથી આપને ખરૂં સુખ મળશે અને પરમાનન્દ પદની પ્રાપ્તિ થશે. દૂધમાં પતાસું તુર્ત મળી જાય છે તેમ હે નાથ ! મારે અને તમારો સ્વભાવ દૂધમાં પતાસાની પેઠે તુર્ત મળી જાય છે, અર્થાત્ મારા અને તમારા એક શુદ્ધ રસરૂપ સ્વભાવ છે, મારી અને આપની એક રસરૂપ પરિણતિ છે. આપશ્રીની સાથે મારે સ્વભાવ તુર્ત મળી શકે છે માટે હે નાથ ! આપ આપની મતિથી વિચાર કરશે. તા મારા ઉપર આપના અત્યંત પ્રેમ થશે, અને તેથી આપ અનન્તસુખભાગી થશે. ममता दासी अहित करि हरविधि, विविधभांति संतासी ॥ જ્ઞાનયન ત્રમુ, વિનતિ માનો, બૌર ન હિતુ સમતાસી નાથ૦||૨| ભાવાર્થ. હું આત્મન્ ! મમતાદાસી અનેક પ્રકારે આપનું અહિત કરવાવાળી છે. અનાદિકાળથી આપ તેની સંગતિમાં રહ્યા પણ અદ્યાપિપર્યંત તેના સંબંધથી સત્ય સુખ પ્રાપ્ત કરી શકયા નથી અને મમતાના સંગથી ભવિષ્યમાં પણ કદાપિ સત્યસુખ પ્રાપ્ત કરી શકવાના નથી, મમતાના સંબંધથી આપ જન્મ, જરા, અને મૃત્યુનાં અનેક દુઃખેા પુનઃ પુનઃ ચતુર્ગતિરૂપ સંસારમાં સહેા છે. અને અધુના પણ આપની કેવી દશા થઇ છે તે હું ચેતન ! આપ સારી પેઠે જાણા છે. હું ચેતન ! નક્કી સમજશો કે મમતા અનેક પ્રકારની ભ્રાંતિથી આપને સંતાપશે. માટે હવે હું આનન્દના ધનભૂત ચેતન ! મારી શિખામણ માને કે સમતારૂપ આપની સ્ત્રીની પેઠે બીજી મમતા વગેરે દાસીઓ હિત કરનાર નથી. સમતાના સરખી આપની ખરી હિતકારક સ્ત્રી કાઈ નથી એમ તમે મનમાં વિચારશો તે જણાશેજ; એમ આનન્દઘનજી મહારાજ કહે છે. તે પેાતાના આત્માને કહે છે કે,—હે ચેતન ! તું મમતા દાસીની સંગતિ ત્યાગીને સમતાને સંગ કર. હું ચેતન ! આવી ઉત્તમ વિજ્ઞપ્તિ માન. એમ પાતેજ પેાતાના આત્માને પ્રાધીને સમતાસંગમાં પ્રેરે છે. પેતાના આત્માને સમતાના સંગમાં રાખવા માટે પેાતાના આત્માને આનન્દઘનજી જે શિક્ષા આપે છે તે ખરેખર અપૂર્વ છે, આવી તેમની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy