SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા પ્રસંગે તને ઉંઘવું ઘટતું નથી, ત્યારે શિરપર પંચપરમેશ્વર પંચપરમેષ્ઠિ છે તેનું સ્મરણ કર કે જેથી ભૂત અને ખવીશનું કંઈ પણ ચાલે નહીં, તે બતાવે છે. शिरपर पंच वसे परमेश्वर, घटमें सूछम बारी ॥ आप अभ्यास लखे कोइ विरला, निरखे भ्रूकी तारी॥१०॥३॥ आशा मारी आसन घर घटमें, अजपाजाप जपावे ॥ आनन्दघन चेतनमय मूरति, नाथ निरञ्जन पावे ॥ १० ॥४॥ ભાવાર્થ –તારા મસ્તસ્પર પંચપરમેશ્વર વસે છે, મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે. ત્યાં ધ્યાન વડે આત્માની સ્થિરતા થાય છે. શ્રીમદ્ હેમચન્દ્ર ત્યાં ધ્યાનનું સ્થાન બતાવે છે તેમજ અન્ય આચાર્યો પણ દર્શાવે છે. બ્રહ્મરન્દ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશ વ્યાપી રહેલા છે. ત્યાં આત્માના પ્રદેશોરૂ૫ આત્મા જ છે. નિશ્ચયનયથી આત્મા પિતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ટિરૂપ છે. જ્યાંસુધી પરમેષ્ઠિના ગુણ પ્રગટયા નથી ત્યાં સુધી સત્તાએ આભા પંચપરમેષ્ટિરૂપ ગણાય છે અને ગુણે પ્રકટતાં આવિર્ભાવે પંચપરમેષ્ટિરૂપ બને છે. આત્મા શરીરવ્યાપક હોવાથી પણ શિરપર વસે છે અને તે પંચપરમેષ્ટિરૂપ છે માટે શિરપર પંચપરમેશ્વર વસે છે એમ નિશ્ચયનયથી કહેવાય છે. શિરપર આત્મામાં સાધુપદનું ધ્યાન ધરતાં સાધુના ગુણે પ્રકટે છે અને તેથી તે સાધુ કહેવાય છે. શિરપર બ્રહ્મરધ્રમાં ઉપાધ્યાય પરમેષ્ટિનું સ્વરૂપ પોતે વિચારી ઉપાધ્યાયરૂપ બને છે. શિરપર આત્માજ પોતે આચાચરૂપ પિતાનું ધ્યાન કરીને ભાવાર્થરૂપે પ્રકટે છે. શિરપ૨ આત્મામાં અરિહંતનું ધ્યાન ધરતાં ઘાતિકર્મને ક્ષય કરીને આત્માજ અરિહંત થાય છે. અને આમાજ સિદ્ધરૂપ પિતાને ધ્યાને સકલ કર્મનો ક્ષય કરીને પતેજ સિદ્ધરૂપ બને છે. આત્મા જ પંચપરમેષ્ટિરૂપ છે તે અત્ર જણાવ્યું છે અને તેનું જ શિરપર બ્રહ્મરન્દ્રમાં પંચપરમેષ્ઠિત્વ દર્શાવ્યું, અને તે જણાવીને કહે છે કે હૃદયમાંથી ત્યાં જવાની સુરતાજ એક શુદ્ધોપગલારૂપ બારી છે આ અર્થ અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ કર. ગમાર્ગની અપેક્ષાએ હૃદયમાંથી શિરપર આવેલા બ્રહ્મરશ્નમાં જવા માટે સુષુમણુનાડી, અંકનાલરૂપ બારી છે ત્યાં થઈને બ્રહ્મરધ્ધમાં જવાય છે અર્થાત્ હૃદયથી બ્રહ્મર% સુધી જવાને સુષુણુનાડીરૂપ બારી છે તેમાં આત્માને ઉપયોગ રાખીને ઠેઠ બ્રહ્મર% સુધી આમાના ઉપગે ચડવું. હદયથી એમ સુબ્રુષ્ણુનાડીમાં ધ્યાન કરતો કરતો બ્રહ્મ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy