SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભાવાર્થ, આત્માનુભવ રસિકનું આશ્ચર્યકારક વૃત્તાંત છે. પુરૂષ વેદાદિના ઉદયથી રહિત એ નિર્વેદી આત્માને અનુભવ કરે છે ને તે આમાના અનન્ત સુખનું વેદન કરે છે. વરંતુtવવારતધ્યાવરે, મન મે વિવરાજ, રાત સુહ મનુમવે, અનુમા તાવો નામ ૧ | આત્માનુભવી નિર્વદી છતાં (બાહ્ય પુરૂષાદિ વેદના ઉદયરહિત છતાં) અનંત સુખને અનુભવ કરે છે ! શ્રીમાન આનન્દઘનજી કહે છે કે મારે બાલુડે આત્મારૂપ રસન્યાસી દેહરૂપ દેવળમાં વાસ કરનારે છે અથવા દેહ મઠમાં મારે આત્મારૂપ સંન્યાસી વસે છે. ઇડા (ડાબી નાસિકાને સ્વર-ચંદ્રવર) પિંગલા (જમણી નાસિકાનો સ્વર-સૂર્યસ્વર) એ બે નાડીઓના સ્વરને ત્યાગ કરીને સુષુણ્ણ (બે નાસિકા સાથે વહે છે તેને સુષુણ્ણ કહે છે) ના ઘરમાં વાસ કરે છે. ગિ સુષુમણું નાડી ચાલતાં પ્રભુનું ધ્યાન ધરે છે, શ્રી આનંદઘનજી સુષુમણું નાડી ચાલતાં ધ્યાનમાં પ્રવેશ કરીને તેનો અનુભવ જણાવે છે. સુષુષ્ણમાં ધ્યાન ધરીને બ્રહ્મરધમાં આસન જમાવ્યું. અર્થાત્ આનંદઘનજીના આત્મારૂપ યોગીએ બ્રહ્મરન્બમાં જઈ સ્થિરતા કરી તે બ્રહ્માસ્ત્રમાં સ્થિરતા થવાને માટે ગનાં અષ્ટ અંગેની જરૂર છે તે પણ જણાવે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન અને સમાધિ. આ પ્રમાણે વેગનો અનુકમ અંગપૂર્વક અભ્યાસ કરનાર બ્રહ્મરશ્વમાં અનહદ તાન અનુભવે છે અને સમાધિની પ્રાપ્તિ કરીને આત્મિક સુખ ભોગવે છે, મેંગનાં અષ્ટ અંગેનું વિશેષ સ્વરૂપ ગીચત્ત ચોરી નામના ગ્રન્થથી જોવાની ભલામણ કરીએ છીએ, અત્ર તે સંક્ષેપમાં સ્વરૂપ લખ્યું છે. આનંદઘનજીએ ગમાર્ગદ્વારા બ્રહ્મરધ્ધમાં સ્થિરતારૂપ સમાધિ અનુભવીને આ ઉદ્ગાર કાઢયા છે. मूल उत्तर गुण मुद्राधारी, पर्यकासनवासी ॥ रेचक पूरक कुंभक सारी, मन इंद्रिय जयकासी ॥म०॥४॥ स्थिरता जोग युगति अनुकारी, आपोआप विमासी ॥ आतम परमातम अनुसारी, सीजे काज समासी । म०॥५॥ ભાવાર્થ-રાગને ઈડા અને દ્વેષને પિંગલા. અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ કહેવામાં આવે છે. રાગ અને દ્વેષના માર્ગ તજીને સમતારૂપ સુષષ્ણાના માર્ગમાં જ્યારે આમા આવે છે ત્યારે બ્રહ્મરંધમાં ( અનુભવ જ્ઞાનદશામાં) આત્માની સમાધિનો અનુભવ થાય છે. અને તેથી આભસ્વરૂપમાં અનહદ તાન અર્થાત અત્યંત હદ વિનાને આનન્દરસ ઉત્પન્ન થાય છે, આમ પણ અધ્યાત્મમાર્ગની અપેક્ષાએ અર્થ કરી શકાય છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy