SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૨ ) પ્રગટાવવાજ લક્ષ દેવું જોઈએ; એમ શ્રીમદ્ પિતાનો વાસ્તવિક હદયભાવ ધારણ કરતા હતા. નિવૃત્તિમાર્ગમાં મસ્ત થએલ શ્રીમનું દુનિયાપ્રતિ અલક્ષ હોય એ વસ્તુતઃ બનવા ગ્ય છે. આત્મકલ્યાણ સાધકે પિતાના ગુણે તરફ લક્ષ રાખવું જોઈએ. શ્રી મને દુનિયા પાસેથી કંઈ લેવાનું નહતું. દુનિયાનો દોરંગી પ્રવાહ કદિ એક થયો નથી અને થવાને નથી. શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં શાસનસેવા પ્રતિ અત્યન્ત રાગ હતો. તેમણે શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયને શાસનશાસનસેવા કે લા સેવા માટે ઉત્સાહ આપીને પ્રેરણા કરી હતી. શ્રીમદ્ પ્રતિ રાગ. યશોવિજયજી ઉપાધ્યાયને તેઓ ઉત્તમ રસલાહ આપતા હતા અને પિતાની પાસે આવનારા સાધુઓને શાસનસેવા માટે સંબોધતા હતા. જૈન શાસનસેવાના ઉત્તમ વિચારોનો ભંડાર શ્રીમદ્ આનન્દઘનજી હતા; સલાહશાન્તિથી શ્રી જૈન શાસનની સેવા કરવાના વિચાર તો આવા ઉત્તમ પુરૂષોના હૃદયમાંથી નીકળી શકે. પ્રત્યે લખીને શાન્ત રીતે શાસનસેવા બજાવવાના ઉપાયોને શ્રીમદે, શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયને બતાવ્યા હોય એમ સંભવે છે. શ્રીમદ્ આનન્દઘનજીને પરિચય થયા બાદ ઉપાધ્યાયે અધ્યાત્મના ગ્રો તેમજ ઉદારભાવથી અન્ય ગ્રન્થ લખવા આરંભ કર્યો હોય એમ અવબોધાય છે. અનેક ઉપાયોથી શાસનસેવા બજાવી શકાય છે. પોતાના હૃદયના ઉભરા આવડે, ચોવીશી અને બહોતેરી લા અઠેરરીથી શ્રીમદે શાસનસેવા બજાવી છે અને તેને જૈન કેમ તથા અન્ય કેમ લાભ લે છે. શાસનસેવાના રાગથીજ તેમણે શ્રી સત્યવિજય પન્યાસને કિટ્ટારમાં સાહાચ્ય આપી હતી. શ્રીમની મનાવવા પૂજાવવાની વૃત્તિ નહતી. તેઓશ્રી સંવેગપ ક્ષની ભાવનાવડે પિતાના આત્માને ભાવતા હતા. સ્ત્રામા, મનાવવા પૂ. જામે સુ સુક, લીવિતે મળે તથા, સ્તુતિનિવિધાનેર, જાવવાની આ - સાધવા ગમતાઃ ૧ લાભમાં અલાભમાં સુખમાં દુશારહિત આ મદશા, ખામાં જીવિતવ્યમાં મરણમાં સ્તુતિમાં અને નિન્દામાં સાદુઓ સમચિત્તવાળા હોય છે. કેટલાક એકાન્ત ક્વિાવ્યવહારી જડ જેવા, દ્વેષી મનુષ્ય તો તેમના સામે આવી તેમને અયોગ્ય શબ્દોથી ભાંડતા હતા અને તેમને તિરસ્કાર કરતા હતા, પણ શ્રીમન્ની શાન્ત દશા રહેતી હતી. ખરેખર તેઓ મનાવવા અને પૂજાવવાને માટે બાહ્ય અને અન્તર્ ચેષ્ટારહિત હતા. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy