SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) कोइ कन्तकारण काष्ठभक्षण करे रे, मळशुं कन्तने धाय. ए मेळो कहीए नवि संभवे रे, मेळो ठाम न ठाय. रुषभ० ॥३॥ कोइ पतिरञ्जन अति घणुं तप करे रे, पतिरञ्जन तनताप. ए पतिरञ्जन में नवि चित धयु रे, रञ्जन धातु मिलाप. रुषभ० ॥ ४ ॥ कोइ कहे लीला रे अलख अलखतणी रे, लख पूरे मन आश. दोषरहितने लीला नविघटे रे, लीला दोपविलास. रुषभ० ॥ ५ ॥ चित्त प्रसन्न रे पूजनफल का रे, पूजा अखण्डित एह. कपटरहित थई आतम अरपणा रे-आनन्दघन पद रेह. रुषभ० ॥ ६ ॥ ભાવાર્થ–શુદ્ધચેતના કહે છે કે, વસ્તુતઃ શુદ્ઘનિશ્ચયનયથી અવલેકતાં મારા પ્રિયતમ સ્વામી શ્રી રૂષભ જિનેશ્વર . હું તેમના વિના અન્યને ઇછતી નથી. તે સાહેબ મારા ઉપર રીઝે પામે તે, (આતમાની પરમાત્મદશારૂપ રીઝ થાય તે) પરમાત્માની સાથે મુક્તિમાં સાદિ અનંતમાભાગે વસું. જગતમાં સર્વ લોકે પ્રીતિની સગાઈ કરે છે પણ કઈ પ્રીતિની રસગાઈ નથી. જે પ્રીતિ સગાઈથી ઉપાધિ થાય, તે પ્રીતિ સગાઈની કિસ્મત અલ્પ છે. જેમાં કઈ જાતની ઉપાધિ રહે નહિ એવી ખરી પ્રીતિની સગાઈ હોય છે; એવી ખરી સગાઈ તે આત્મારૂપ પરમાત્માની જ હોય છે; બાકી આત્મારૂપ પરમાત્મા વા રૂષભદેવ વિના બાહ્ય પદાર્થોની પ્રીતિસગાઈ તે કર્મની વૃદ્ધિ કરાવનારી હોવાથી જ્ઞાનાદિક ધનનો નાશ કરનારી છે. જગત, પ્રીતિની સગાઈ કરવા લક્ષ રાખે છે કિન્તુ ખરી પ્રીતિ અવબોધે તે સહજાનન્દને લાભ દેનારી શુદ્ધ પ્રીતિ જ બાંધી શકે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરવામાં આવે તે તેથી આત્માના જ્ઞાનાદિક ગુણરૂપ ધનની પ્રાપ્તિ થાય. રજોગુણ પ્રેમ અને તમોગુણી પ્રેમ શુદ્ર છે, માટે તે બે પ્રેમને ત્યાગ કરવાની જરૂર છે. સત્વગુણી પ્રેમ પણ શુદ્ધ જોઈએ. સત્ત્વગુણી શુદ્ધપ્રેમવડે પરમાત્મ સ્વામિની ઉપાસના કરવાની જરૂર છે. ક્રોધ-માન-માયા-લેભસ્વાર્થ-દ્વેષ અને ઈષ્ય વગેરે દેશે જેમાં નથી એવા શુદ્ધપ્રેમથી પરમાત્મસ્વામિની સાથે સગાઈ બાંધી શકાય છે. પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થઈ જવાની રૂચિ તેજ શુદ્ધપ્રેમ ગણાય છે. ગુણેના પ્રેમને શુદ્ધપ્રેમ કથે છે. પરમાત્મા શુદ્ધ હોવાથી તેમની પ્રેમલક્ષણું સેવાની ઉપાસના કરવાથી પિતાની શુદ્ધિ થાય છે. કેઈ પિતાના કાન્તની પ્રાપ્તિ માટે કાષ્ટ ભક્ષણ કરે છે, અર્થાત અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. તે મનમાં ધારે છે કે દેડીને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy