SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) તે સંબન્ધી ધ્યાન તે અધિકરધ્યાન. તે વાપી ક્રુપાદિક કરા વવામાં તત્પર થયેલા નન્દમણિકારને થયું હતું. ૫૭ અસમાધિ મરણુધ્યાન— આ અસમાધિવડે મરણ પામેા ’ એવું અસમાધિ મરણધ્યાન સ્કન્દકાચાર્ય પ્રત્યે ક્ષુલ્લક સાધુને પહેલા યંત્રમાં પીલતાં અભવ્ય એવા પાલક પુરેાહિતને થયું હતું. ૫૮ કૌંદય પ્રત્યયધ્યાન—કર્મના ઉદયને આશ્રીને થયેલું ધ્યાન તે કૌંદય પ્રત્યયધ્યાન. તે પ્રથમ શુભપરિણામ છતાં પછીથી કોઈ પણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા થયેલા વિષ્ણુને-અંતકાળે થયું હતું. પ ઋદ્ધિગૌરવધ્યાન—રાજ્ય ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિવડે પોતાની ઉત્કૃષ્ટાઈરૂપ ગૌરવતા( મેાટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવધ્યાન. તે દશાર્ણભદ્રને થયું હતું. કરાતા રસ ૬૦ ૨સગૌરવધ્યાન—જિન્હા ઇન્દ્રિયવડે ગ્રહણ (ભાજન )ની ગૌરવતાનું ધ્યાન તે રસૌરવધ્યાન. અર્થાત્ ... મારી રસવતી (ભાજન )માં જેવા રસ છે તેવા ખીજાની રસવતીમાં શું હોય ?” એવું અભિમાનપૂર્વક જે ધ્યાન; તે જળના દૃષ્ટાંતમાં કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિમંત્રી પાસે પેાતાની રસવતીના રસની પ્રશંસા કરતાં થયું હતું. ૬૧ સાત ગૌરવધ્યાન—સુખના ગર્વનું ધ્યાન. એટલે ‘હું જ સુખી છું' એવા અભિમાનવાળું ધ્યાન ઘણા જીવાને થાય છે. ૬૨ અવિરહધ્યાન—અવિરહધ્યાન એટલે પુત્રાદિકના વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન “ બે પુત્રના વિરહ ન થાઓ” એવી બુદ્ધિથી આ સાધુએ માંસ ખાય છે, માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં; એમ કહી તે પુત્રોને છેતરનાર ભૃગુપુરાહિત તથા તેની સ્રી યશાને થયું હતું, તેમ જ દેવતાએ પ્રતિબાધ કર્યાં છતાં પણ વારંવાર વ્રતના ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું. ' ' ૬૩ અમુક્તિમરણધ્યાન—મુક્તિ તે મોક્ષગતિ, તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેવડે મરણુ પામવાનું જે ધ્યાન તે અમુક્તિમરણધ્યાન કહેવાય છે. તે “મુક્તિને વિન્ન કરનારૂં આ નિયાણું ન કર ” એમ ચિત્ર નામના પેાતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યાં છતાં · ચક્રવર્તીની સંપત્તિના અનુભવ કર્યાવિના હું મુક્તિની પણ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy