SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) ૧૭ આશાધ્યાન–એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું ધ્યાન, તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેયવિનાના મૂલ દેવને થયું હતું. ૧૮ તૃષાયાન-તૃષાપરિસિહના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે પીડાએ કરીને થતું જે ધ્યાન તે તૃષાધ્યાન. આ ધ્યાન સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા યુદ્ધક સાધુને થયું હતું. ૧૮ સુધાધ્યાન--સુધાના પરવશપણુથી થતું ધ્યાન તે સુધાધ્યાન. તે રાજગૃહનગરના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર થયેલા કમકને થયું હતું. ૨૦ પથિધ્યાન–એટલે અલ્પકાળમાં ઇષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન, તે સ્થાન પિતનપુરના માર્ગને શોધતા વલ્કલચિરિને થયું હતું. ૨૧ વિષમાર્ગ ધ્યાન–ઘણું વિકટ માર્ગનું ધ્યાન. તે સનત કુમા રને શોધનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધનાર વરધનુને થયું હતું. ૨૨ નિદ્રાધ્યાન–એટલે નિદ્રાને સ્થાન થયેલાનું ધ્યાન. તે સ્થાન સ્યાનષ્ક્રિનિદ્રાએ પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી કાઢનાર, તથા મેદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩ નિદાનધ્યાન–એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્ય પણાની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાથી નવ પ્રકારનાં નિયાણું કરવા સબધી ધ્યાન, તે નદિષેણ, સંભૂતિ અને દ્રૌપદી વિગેરેને થયું હતું. ૨૪ જેહધ્યાન–સંહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે થતી પ્રીતિવિશેષ. તે ધ્યાન મરૂ દેવા, સુનંદા અને અહંન્નકની માતાને થયું હતું. ૨૫ કામધ્યાન–કામ એટલે વિષયને અભિલાષ તેનું ધ્યાન તે કામધ્યાન. તે હાસા અને પ્રહાસાદેવીએ દેખાડેલા વિષયસુખના લેભથી કુમારનંદિ સોનીને થયું હતું, તથા રાવણને થયું હતું. ૨૬ અપમાન ધ્યાન–અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભ ળીને થતી ઈબ્ધ અથવા ચિત્તની કલુષતા (મલીનતા) તેનું ધ્યાન તે અપમાન ધ્યાન. તે બાહુ અને સુબાહુની પ્રશંસાને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy