SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) યદિ વિચાર કરવામાં આવે તો, પિતાના અધિકારની રસમજણ પડે અને પરમાત્માના મિત્ર બનવામાં શું લાભ છે તેની સમજણ પડે. જેને પિતાને મિત્ર કરવા ઇચ્છા હોય તેના જેવા ગુણો પિતાનામાં પ્રગટાવવા જોઈએ. સમાનદશાવિના મિત્રો તે ખરા મિત્રો નથી. દુનિયામાં, મનુષ્યોના મિત્ર બનવામાં પણ સગુણે અને આત્મભોગની જરૂ૨ પડે છે; તે પરમાત્માને મિત્ર કથતાં પહેલાં પરમાત્માને ઓળખી શકવામાં ન આવે તો પરમાત્માની મિત્રતા તે, નામની મિત્રતા અવબોધવી. દુનિયાના મિત્ર થવા માટે પણ સજજનો કહે છે કે, "मित्र ऐसा कीजीए जैसे शिरके बाल, काटे कटावे पिछु कटे तोय न छोडे ख्याल.१ मित्र ऐसा कीजीए जैसी तनकी छांय, भेदभाव नहि चित्तमें एकरूप हो जाय." २ ઇત્યાદિથી અવબોધી શકાય છે કે, દુનિયાના મિત્ર બનવું તે પણ અશકય છે તે પરમાત્માના મિત્ર શી રીતે બની શકાય ? નિરજનપરમામાને નિરજનભાવનાએ મિત્ર બનાવી શકાય. સાકાર વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટવે બુદ્ધિની કલ્પના ઉડી જાય અને સિદ્ધપરમાત્માના સ્થાનવડે પિતાને ગમે અને સિદ્ધપરમાત્માની સાથે પ્રેમધૂન લાગતી હોય; તેવી દશામાં સિદ્ધપરમાત્માને મિત્ર કરી શકાય છે. કલિયુગમાં ધ્યાનની અભિલાષાવાળાઓએ સિદ્ધપરમાત્માને મિત્ર કહેતાં પહેલાં–પિતાની મિત્ર તરીકેની પિતાનામાં યોગ્યતા પ્રગટાવવી જોઈએ, તેમજ પરમાત્મા હું છું એવા ભાવથી સહું શબ્દવાસ્વાર્થનું ધ્યાન ધરતાં પહેલાં, પિતાની યેગ્યતાને વિચાર કરવો જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજીએ નિરજીન સિદ્ધપરમાને મિત્ર તરીકે સંબોધ્યા છે. ખરેખર તેમનામાં સિદ્ધપરમાત્માની મિત્રતા કરવાની ગ્યતા હતી, તેથી જ સહજે તેમના હૃદયમાંથી નિરજન મિત્રના વિરહના ઉદ્ગારે નીકળ્યા છે. તાણું ખેંચીને એવા કૃત્રિમ ઉગારે કાઢનારા પરમાત્માના ધ્યાનના અધિકારી થયા હોય ! એમ કહી શકાય નહિ. પરમાત્માનું ધ્યાન ધરતાં પહેલાં દુર્યાનનું સ્વરૂપ અવબોધવું જોઈએ. દુર્થાન અને સુધાનનું સ્વરૂપ સમજવામાં નથી આવતું ત્યાં સુધી, દુનને પણ ધ્યાન કથી શકાય છે અને તે દુર્થોનથી પરમાત્મ પદની પ્રાપ્તિ થઈ શકતી નથી. દુર્થોનને હઠાવ્યા વિના પરમાત્માના સુથાનમાં સ્થિરતા થઈ શકતી નથી. સદ્દગુરૂઓ દુધ્ધન અને સુધ્યાનનું સ્વરૂપ સમજાવી શકે છે, અને તેથી પ્રભુના નામ ધારી-આખી દુનિયાના ભક્તોમાં દુર્થોન અને સુપ્પાનવાળા કયા છે તેનો નિર્ણય થઈ શકે છે અને તેથી દુર્ગાનીઓના ફંદમાં ફસાવાનું થતું નથી. જૈનશાસ્ત્રોમાં દુર્થોનનું અનેક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy