SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) જ્યાં ત્યાં ફરતા હતા. એક દિવસે, બે દિવસે, ત્રણ દિવસે વા તેથી પણું વધારે દિવસે ગોચરી વહોરવા જતા હતા અને ક્ષધાવેદનીય નિવારવાને અર્થ અને સંયમ સાધનાર્થે-શરીરની રક્ષા માટે આહાર જલ ગ્રહણ કરતા હતા. બાળજી તે તેમની એવી દશા દેખીને ભડકી જતા હતા અને તેમના સાધુપણુવિષે અનેક પ્રકારની વાતો કરતા હતા. અન્ય સાધુઓ કરતાં તેમની વિચિત્ર દશા જોઈને કેટલાક તે, તેઓશ્રી ઉન્મત્ત થઈ ગયા છે એમ કહેતા હતા. કેટલાક વ્યવહાર ધર્મને જાણનારા, “આનન્દઘનજી નિશ્ચયમાં પડી ગયા છે” “એ તે નિશ્ચયવાદી થઈ ગયા છે એ તે વ્યવહારને માનતા નથી, એવું બેલતા હતા. શ્રીમદ્દની પાસે બાળજીવ આવતા તેઓને શ્રીમદ્ કહેતા હતા કે, તમે ઉપાશ્રયમાં પધારનારા મુનિરાજની સેવના કરીને તેમની પાસેથી ધર્મ સાંભળે અને જૈનધર્મની આરાધના કરે. તમને તમારા અધિકાર પ્રમાણે અન્ય મુનિયે ઉપદેશ આપશે–અન્ય સાધુઓ પાસેથી તેમની સેવા કરી ધર્મગ્રહણ કરે; તેમના ઉપર પરિપૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારણ કરે; આ પ્રમાણે આનન્દઘનજી કહેતા હતા. આગના જ્ઞાતા, જેનશાસન ઘેરી પ્રભાવક-શ્રી યશવિજ્યજી ઉપાધ્યાયજી, આબુજી તરફ વિહાર કરતા કરતા ગયા. ઉપાધ્યાયના તે કાલમાં શ્રીમદ્દ યશોવિજયજી સર્વસાધુઓમાં બહુ અધ્યાત્મ વ્યાખ્યાનનું શ્રવણ શ્રુત ગણુતા હતા;-તેમણે, આનન્દઘનજી અધ્યાત્મજ્ઞાનમાં અને પશ્ચાતે ઉંડા ઉતરી ગયા છે અને અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ આપનાર આનન્દઘનજી- એક છે એમ સાંભળ્યું હતું; શ્રી આનન્દઘનજી આનું અધ્યાત્મજ્ઞાનવ્યાખ્યાન બુજીની આસપાસના પ્રદેશમાં રહેતા હતા. આબુજીના પ્રદેશમાં આનન્દઘનજીની અધ્યાત્મજ્ઞાનના અનુભવી તરીકે પ્રશંસા થઈ રહી હતી. ઉપાધ્યાયજી શ્રાવક પાસેથી તેમની પ્રશંસા શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાન સંબધી વ્યાખ્યાન દેવા લાગ્યા. શ્રીમદ્ ઉપાધ્યાયજીનું વ્યાખ્યાન શ્રવણ કરવા આસપાસના સાધુઓ અને ગૃહસ્થ જૈને આવ્યા હતા. તે વખતે ઉપાધ્યાયજીની અપૂર્વવિદ્વત્તાની પ્રશંસા સર્વત્ર ફેલાયેલી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ ઉપાધ્યાયજીની વિદ્વત્તા અને સિદ્ધાન્ત પારંગામીપણાની પ્રશંસા સાંભળી હતી, તેથી તેઓ પોતાના નજીક પ્રદેશમાં આવ્યા છે એવું જાણું–એકલા તેમને મળવા સારૂ ચાલી નીકળ્યા, અને ઉપાશ્રયમાં સાધુઓના સમુદાય ભેગા પિોતે બેઠા. આસપાસના ગામોથી અનેક યતિ આવ્યા હતા; તેમના ભેગા બેસવાથી તેમજ સામાન્ય સાધુ જેવા જણ્યાથી ઉપા ભ. ઉ. ૨૧ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy