SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) શ્રીમદ્ આનન્દઘનજી સાધુ વેષ ધારણ કરતા હતા. તસબંધી બીજો સબલ પુરા નીચે પ્રમાણે છે. એક વખત શ્રી તપાગચ્છગગન દિનમણિ શ્રી વિજયપ્રભસૂરિ વિહાર કરતા કરતા મેડતા પાસેના ગામમાં ગયા. ત્યાં આનન્દઘનજી મહારાજની મુલાકાત થઈ. શ્રીમદ્ આનન્દઘનજીએ તપાગચ્છના મહારાજ શ્રી વિજયપ્રભસૂરિને વંદન કર્યું અને કહ્યું કે આપના જેવા શાસનરક્ષક સૂરિરાજાની કૃપાથી હું મારા આત્માનું હિત સાધવા પ્રયત્ન કરું છું. શ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રીમદ્ આનન્દઘનજીને એક નવું કપડું ઓઢાડ્યો અને કહ્યું કે તમે તમારા આત્માના ધ્યાનમાં સદાકાલ પ્રવૃત્ત થાઓ. શ્રી વીરપ્રભુનાં વચનોના અનુસારે અપ્રમત્તપણે આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરે. શ્રી વિજયપ્રભસૂરિજી શ્રીમદ્ આનન્દઘનજીની સરલતા દેખી બહુ આનન્દ પામ્યા. આનન્દઘનજીની ત્યાગ વૈરાગ્ય દશા જોઈને શ્રી વિજયપ્રભસૂરિ પાસે રહેલા સાધુએ ખુશ થયા. શ્રી મદ્ આનન્દઘનજી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. તપાગચ્છના એક વૃદ્ધ વિદ્વાન અનુભવી યતિજી શ્રી મણિવિજયજીએ આ વાત કરી હતી. તેમજ અન્ય એક વૃદ્ધ યતિજીએ પણું આ વાત કરી હતી. શ્રીમદ્ આનન્દઘનજી યતિને વેષ ધારણ કરતા હતા પણ અલ્પઉપકરણ રાખતા હતા. શ્રીમદ્ જ્ઞાનસાગરજી કે જેમણે સં. ૧૮૬૬ ના ભાદરવા શુદિ ૧૪ ના દિવસે શ્રીમદ્ આનન્દઘનજીની બહોતેરી ઉપર ટબ પૂર્વ છે, તેમણે આનન્દઘનજી સાધુ વેષ ધારણ કરતા હતા એવું સ્પષ્ટ ટબામાં દર્શાવ્યું છે. શ્રીમદ્ જ્ઞાનસાગરજી પણ વિકાનેરના મશાન પાસે ઝુંપડીમાં સાધુના વેષે રહેતા હતા અને સાધુના વેષે પંચમહાવ્રતની આરાધના કરતા હતા. શ્રીમદ્ કૃપાચંદ્રજી વગેરે કેટલાક વિદ્વાનો પાસેથી અમોએ એવું સાંભળ્યું છે કે, જ્યારે આનન્દઘનજી સંસારી દશામાં હતા ત્યારે અન્યધર્મના સાધુએની સંગતથી તંબુરે લઈ ભજન ગાતા હતા. આવી કિંવદન્તીથી કંઈ એમ સિદ્ધ નથી થતું કે તે જૈન સાધુ થયા બાદ ગૃહસ્થની પેઠે વર્તતા હોય. ગૃહસ્થ દશાની જુદી વાત છે અને સાધુ દશાની જુદી વાત છે. શ્રીમદ્ આનન્દઘનજીએ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને પંચમહાવ્રતની આરાધના કરવાને સાધુ વેષ અંગીકાર કર્યો હતો અને મરણ પર્યન્ત તે સાધુના વેષમાં જ હતા. તે દઢ મનના હતા. જેને ધર્મની આરાધના કરવામાં સદાકાલ ઉજમાલ રહેતા હતા. સાતનય સપ્તભંગી, ચાર નિક્ષેપ, નવતત્વને વિશેષતઃ જાણતા હતા. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy